શોધખોળ કરો
GST પહેલા સરકારનો મોટો ઝટકોઃ PPF, KVP, NSC જેવી નાની બચતના વ્યાજમાં કર્યો ઘટાડો
1/3

એકથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટ પર વ્યાજના દર ઘટાડીને ૬.૮-૭.૬ ટકા કરી દેવાયા છે. પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝીટ પર મળતું વ્યાજ ઘટાડીને ૭.૧ ટકા કરી દેવાયું છે. બચત થાપણો પર વ્યાજદર વાર્ષિક ૪ ટકા યથાવત્ રાખવામાં આવ્યા છે. નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં ઘટાડો કરવાથી હવે બેન્કો ડિપોઝીટના દર પણ ઘટાડશે તેવી શક્યતા છે.
2/3

નવી દિલ્હીઃ સરકારે જીએસટીનો અમલ થાય તે પહેલા જ લઘુ મોટા ઝટકો આપ્યો છે. સરકારે નાની બચત યોજનાઓ જેમ કે, પીપીએફ, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ પર વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે લાગુ રહેશે. કહેવાય છે કે, આ નિર્ણયને પગલે બેંક પણ એફડીના વ્યાજમાં ઘટાડો કરી શકે છે.
Published at : 01 Jul 2017 07:32 AM (IST)
View More























