એકથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટ પર વ્યાજના દર ઘટાડીને ૬.૮-૭.૬ ટકા કરી દેવાયા છે. પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝીટ પર મળતું વ્યાજ ઘટાડીને ૭.૧ ટકા કરી દેવાયું છે. બચત થાપણો પર વ્યાજદર વાર્ષિક ૪ ટકા યથાવત્ રાખવામાં આવ્યા છે. નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં ઘટાડો કરવાથી હવે બેન્કો ડિપોઝીટના દર પણ ઘટાડશે તેવી શક્યતા છે.
2/3
નવી દિલ્હીઃ સરકારે જીએસટીનો અમલ થાય તે પહેલા જ લઘુ મોટા ઝટકો આપ્યો છે. સરકારે નાની બચત યોજનાઓ જેમ કે, પીપીએફ, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ પર વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે લાગુ રહેશે. કહેવાય છે કે, આ નિર્ણયને પગલે બેંક પણ એફડીના વ્યાજમાં ઘટાડો કરી શકે છે.
3/3
હવેથી પીપીએફ, કિસાન વિકાસ પત્ર પર ૭.૯ ટકાને બદલે ૭.૮ ટકા વ્યાજ મળશે. કિસાન વિકાસ પત્ર પર ૭.૬ ટકાને બદલે હવે ૭.૫ ટકા વ્યાજ જ મળશે. સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ વ્યાજના દર ઘટાડી દેવાયા છે. આ બન્ને પર હવે ૮.૩ ટકા જ વ્યાજ મળશે. અગાઉ તેના પર ૮.૪ ટકા વ્યાજ મળતું હતું.