શોધખોળ કરો
હવે આ ગ્રાહકોને ઘર બેઠાં મળસે બેન્કિંગની સુવિધા, જાણો શું છે નવો નિયમ
1/3

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે ગુરુવારે બેન્કોને નિર્દેશ આપ્યા છે કે તે 70 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ લોકોને ચાલુ વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં તેના ઘરના દરવાજે બેન્કિંગ સુવિધા આપવાનો પ્રયત્ન કરે.
2/3

બેંકોને આદેશ આપવામાં આવ્યો છે કે, આવા લોકોને કેશની લેવડ-દેવડ, ચેકબુક અને ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સુવિધા ઘર સુધી આપવામાં આવે. નોટિફિકેશ રજૂ કરતા RBIએ જણાવ્યું કે, ‘બેંકોમાં સીનિયર સીટિઝન અને દિવ્યાંગોને હતોત્સાહિત કરવામાં આવતા હોય તેવું ઘણીવાર નોંધવામાં આવ્યું છે. આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને બેંકોને સલાહ આપવામાં આવે છે કે, તે મૂળભૂત બેંકિંગ સુવિધાઓ આપવા માટે સંયુક્તરૂપે કામ કરે.’ RBIનો આ આદેશ બેંકો ઉપરાંત સ્મોલ ફાયનાન્સ અને પેમેન્ટ્સ બેંકો માટે પણ છે.
Published at : 10 Nov 2017 07:19 AM (IST)
Tags :
RbiView More























