શોધખોળ કરો
ઈ-ટિકિટ પર માર્ચ 2018 સુધી કોઈ સર્વિસ ચાર્જ નહીં લે રેલવે
1/3

ગત નાણાકીય વર્ષમાં આઈઆરસીટીસીને 1500 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેમાંથી 540 કરોડ રૂપિયા ટિકિટ બુકિંગમાંથી આવ્યા હતા. 23 નવેમ્બર, 2016થી લઈને 28 જાન્યુઆરી, 2017 સુધી રેલવેએ સર્વિસ ચાર્જ અને સર્વિસ ટેક્સના સ્વરૂપમાં ટિકિટ બુકિંગ પર મુસાફરો પાસેથી 184 કરોડ રૂપિયા લીધા નથી.
2/3

આઈઆરસીટીસીની સાઈટ પર ટ્રેનોની ટિકિટ બુક કરાવવા પર સામાન્ય રીતે સર્વિસ ચાર્જ 20થી 40 રૂપિયા વચ્ચે લાગે છે. આઈઆરસીટીસીને આપવામાં આવેલા નિર્દેશમાં રેલવે બોર્ડે સુવિધાને આવતા વર્ષે માર્ચ સુધી વધારવા કહ્યું છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, આઈઆરસીટીસીની 33 ટકા રેવન્યુ ઓનલાઇન બુકિંગ્સ પર મળેલા સર્વિસ ચાર્જથી આવે છે.
Published at : 04 Oct 2017 07:44 AM (IST)
View More























