શોધખોળ કરો
રિઝર્વ બેંકની નવી પહેલ, 10 ટકા ATMમાંથી નિકળશે માત્ર 100 રૂપિયાની નોટ
1/3

કેન્દ્રીય બેંકના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, સ્વચ્છ નોટની નીતિ અંતર્ગત લોકોને 100 રૂપિયાની નોટની જરૂરિયાને પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. બેંકોએ પોતાના એટીએમમાં પૂરતી સંખ્યામાં 100 રૂપિયાની નોટ રાખવી જોઈએ. બેંકોને આ દિશામાં પ્રોત્સાહિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત દેશમાં 10 ટકા એટીએમમાંથી ખાસ કરીને 100 રૂપિયાની નોટ કાઢી શકાશે.
2/3

રિઝર્વ બેંકે કહ્યું કે, બેંકોને સલાહ આપવામાં આવે છે કે, તે પોતાના 10 ટકા એટીએમમાં આ વ્યવસ્થા સુનિશ્ચિત કરે. રિઝર્વ બેંકે હાલમાં જ બેંકોના આ પગલાની સમીક્ષા કરી, જે અંતર્ગત આવા એટીએમ લગાવવામાં આવવાના છે, જે ઓછા મૂલ્યની નોટ આપે.
Published at : 03 Nov 2016 07:57 AM (IST)
View More




















