શોધખોળ કરો

CRIME NEWS: ભાવનગરના આ ગામમાં બીજેપી નેતાની પુત્રીની હત્યા, પોલીસના ધાડેધાડા ઉતર્યા

CRIME NEWS: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં ભાજપના સભ્યની દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવનાં પડઘા રાજ્યભરમાં પડ્યા છે.

CRIME NEWS: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં ભાજપના સભ્યની દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવનાં પડઘા રાજ્યભરમાં પડ્યા છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા તિક્ષ્ણ હથિયાર વડે સગીરાની હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ બાદ પોલીસ દ્વારા કુલ છ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ આ હત્યાનાં બનાવને લઈ વરલ ગામ પૂરું પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

ભાવનગરના શિહોર તાલુકાના વરલ ગામે ગત મોડી રાત્રે સગીરાની હત્યા કરવામાં આવી છે, આ સમગ્ર બનાવની વિગત એ પ્રમાણે છે કે, ઘણા લાંબા વર્ષોથી ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો જે ટાવરની લીઝ પુરી થતા પૈસા તેમજ સામાન લેવા બાબતે ઉગ્ર બોલા ચાલી થતા બે કોમ વચ્ચે ઝગડો થયો હતો. જે મામલો વધુ ઉગ્ર બનતા સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો હતો. બોલાચાલીમાં 16 વર્ષની સગીરા રાધિકા બારૈયા તેમના પિતાને બચાવવા જતા તેમને પણ ગંભીર ઇજા પહોંચી હતી જેને લઇ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

વરેલ ગામમાં લશ્કર બારૈયા નામના સરપંચને ત્યાં પાંચથી છ ઈસમો ખાનગી કંપનીના ટાવરનો સામાન ભરવા માટે તેમના ઘર પર પહોંચ્યા હતા. એ દરમિયાન બાકી નીકળતા પૈસા લેવા બાબતે સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ મારામારી થતા લશ્કર બારૈયાની પુત્રીને ગંભીર ઈજા પહોંચી અને બાદમાં તેમનું મોત નિપજ્યું.  આ મામવે (૧)આરીફ પાયક (૨) અશરફ પાયક (૩) અરમાન પાયક (૪) ઈરફાન પાયક (૫) અમીન પાયક અને (૬) આદિલ પાયકની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈ પરિવાર સહિત વરલ ગામ માતમમાં ફેરવાયું છે. સગીરાના હત્યાના બનાવને લઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો વરલ ગામ પહોંચ્યા હતા અને પરિવારજનોની મુલાકાત લઇ આશ્વાસન પાઠવ્યું હતું

ભાવનગર જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ બનાવો છે કે જેમાં બે કોમ વચ્ચે ઝઘડો થયો હતો અને સગીરાની હત્યા કરી દેવામાં આવી હોઈ. હાલ હત્યાના બનાવને લઈ પોલીસ દ્વારા જરૂરી પુરાવા એકઠા કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ પરિવારજન દ્વારા પણ માંગ કરવામાં આવી હતી કે હત્યામાં સામેલ તમામ ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વરલ ગામમાં અશાંતિનો માહોલ પ્રસરે નહીં તે માટે ડીવાયએસપી દ્વારા સૌ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. આ સાથે જ વરલ ગામની તમામ બજારો પણ વ્યાપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ પાડીને કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો

વિડિઓઝ

Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Embed widget