શોધખોળ કરો

CRIME NEWS: ભાવનગરના આ ગામમાં બીજેપી નેતાની પુત્રીની હત્યા, પોલીસના ધાડેધાડા ઉતર્યા

CRIME NEWS: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં ભાજપના સભ્યની દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવનાં પડઘા રાજ્યભરમાં પડ્યા છે.

CRIME NEWS: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં ભાજપના સભ્યની દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવનાં પડઘા રાજ્યભરમાં પડ્યા છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા તિક્ષ્ણ હથિયાર વડે સગીરાની હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ બાદ પોલીસ દ્વારા કુલ છ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ આ હત્યાનાં બનાવને લઈ વરલ ગામ પૂરું પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

ભાવનગરના શિહોર તાલુકાના વરલ ગામે ગત મોડી રાત્રે સગીરાની હત્યા કરવામાં આવી છે, આ સમગ્ર બનાવની વિગત એ પ્રમાણે છે કે, ઘણા લાંબા વર્ષોથી ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો જે ટાવરની લીઝ પુરી થતા પૈસા તેમજ સામાન લેવા બાબતે ઉગ્ર બોલા ચાલી થતા બે કોમ વચ્ચે ઝગડો થયો હતો. જે મામલો વધુ ઉગ્ર બનતા સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો હતો. બોલાચાલીમાં 16 વર્ષની સગીરા રાધિકા બારૈયા તેમના પિતાને બચાવવા જતા તેમને પણ ગંભીર ઇજા પહોંચી હતી જેને લઇ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

વરેલ ગામમાં લશ્કર બારૈયા નામના સરપંચને ત્યાં પાંચથી છ ઈસમો ખાનગી કંપનીના ટાવરનો સામાન ભરવા માટે તેમના ઘર પર પહોંચ્યા હતા. એ દરમિયાન બાકી નીકળતા પૈસા લેવા બાબતે સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ મારામારી થતા લશ્કર બારૈયાની પુત્રીને ગંભીર ઈજા પહોંચી અને બાદમાં તેમનું મોત નિપજ્યું.  આ મામવે (૧)આરીફ પાયક (૨) અશરફ પાયક (૩) અરમાન પાયક (૪) ઈરફાન પાયક (૫) અમીન પાયક અને (૬) આદિલ પાયકની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈ પરિવાર સહિત વરલ ગામ માતમમાં ફેરવાયું છે. સગીરાના હત્યાના બનાવને લઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો વરલ ગામ પહોંચ્યા હતા અને પરિવારજનોની મુલાકાત લઇ આશ્વાસન પાઠવ્યું હતું

ભાવનગર જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ બનાવો છે કે જેમાં બે કોમ વચ્ચે ઝઘડો થયો હતો અને સગીરાની હત્યા કરી દેવામાં આવી હોઈ. હાલ હત્યાના બનાવને લઈ પોલીસ દ્વારા જરૂરી પુરાવા એકઠા કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ પરિવારજન દ્વારા પણ માંગ કરવામાં આવી હતી કે હત્યામાં સામેલ તમામ ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વરલ ગામમાં અશાંતિનો માહોલ પ્રસરે નહીં તે માટે ડીવાયએસપી દ્વારા સૌ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. આ સાથે જ વરલ ગામની તમામ બજારો પણ વ્યાપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ પાડીને કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget