શોધખોળ કરો

જૂનાગઢમાં દિવાળીની રાત્રે 'ખૂની ખેલ': ફટાકડા ફોડવાના વિવાદમાં 27 વર્ષીય દિવ્યાંગની ઘાતકી હત્યા, એક જ પરિવારના 3 સહિત 5 આરોપી ઝડપાયા

Junagadh Crime News: આ સમગ્ર ઘટના ફટાકડા ફોડવા જેવી તુચ્છ બાબતને લઈને બની હતી, જેણે એક 27 વર્ષીય દિવ્યાંગ યુવકનો ભોગ લીધો હતો.

Junagadh Crime News: જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની એક સામાન્ય બાબતે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં 27 વર્ષીય દિવ્યાંગ યુવકનું ઘાતકી મૃત્યુ થયું છે. મોડી રાત્રે રોડ પર ફટાકડા ફેંકવા બાબતે મૃતક દિવ્યાંગ ઉર્ફે યસ અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝઘડા દરમિયાન દિવ્યાંગનો સોનાનો ચેન તૂટી જતાં મામલો બિચક્યો હતો. મૃતકની માતા પુષ્પાબેન ચુડાસમા ની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ લોખંડના પાઇપ જેવા જીવલેણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે ગળાના ભાગ પાસે ગંભીર ઘા વાગતાં વધુ પડતું લોહી વહી જવાથી દિવ્યાંગનું મૃત્યુ થયું હતું. જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા એ આ સમગ્ર ઘટનાની વિગતો આપી હતી.

ફટાકડા ફોડવા બાબતે ઝઘડો અને સોનાના ચેનનો વિવાદ

જૂનાગઢ શહેરમાં દિવાળીના તહેવારની રાત લોહિયાળ બની હતી. આ સમગ્ર ઘટના ફટાકડા ફોડવા જેવી તુચ્છ બાબતને લઈને બની હતી, જેણે એક 27 વર્ષીય દિવ્યાંગ યુવકનો ભોગ લીધો હતો. આ મામલે મૃતકની માતા પુષ્પાબેન ચુડાસમા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વિગતો મુજબ, મોડી રાત્રે રોડ પર ફટાકડા ફેંકવાની બાબતને લઈને દિવ્યાંગ યુવક, જેનું નામ દિવ્યાંગ ઉર્ફે યસ હતું, તેની આરોપીઓ કેવલ જોશી અને રાજ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઝપાઝપી દરમિયાન દિવ્યાંગના ગળામાં પહેરેલો સોનાનો ચેન તૂટી ગયો હતો. આ બાબતનું મનદુઃખ વધતાં બંને પક્ષો વચ્ચે ગળાગળા થતા મામલો વધુ બિચક્યો હતો અને તે ખૂની ખેલમાં પરિણમ્યો હતો.

પાંચ આરોપીની ધરપકડ: જીવલેણ હથિયારથી હુમલો

પુષ્પાબેન ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રામસિંહ બારડ, તેની માતા અને પિતા રામભાઈ બારડ તેમજ કેવલ જોશી અને રાજ આ પાંચ આરોપીઓએ ભેગા મળીને દિવ્યાંગ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ હુમલા માટે લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારનો ઉપયોગ કર્યો હતો.

આ હુમલામાં દિવ્યાંગને ખંભાના ગળાના ભાગની નજીક ગંભીર અને જીવલેણ ઘા વાગ્યો હતો. વધુ પડતું લોહી વહી જવાના કારણે દિવ્યાંગનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા દ્વારા અપાયેલી વિગતો અનુસાર, એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ આરોપીઓની આ ઘાતકી હત્યાના કેસમાં અટકાયત કરવામાં આવી છે. એક સામાન્ય બોલાચાલીએ લીધેલા આ કરુણ અંતને કારણે જૂનાગઢમાં શોક અને સનસનાટીનો માહોલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Advertisement

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget