શોધખોળ કરો

Noida: મહિલા ટીચરને 16 વર્ષના વિદ્યાર્થી સાથે થયો પ્રેમ, અને પછી જે થયુ એ જાણી ચોંકી ઉઠશો

સગીર છોકરો મહિલા ટીચર પાસે કોચિંગ માટે જતો હતો. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી.

નોઇડાઃ ઉત્તર પ્રદેશના નોઇડામાં એક શિક્ષિકાને તેના જ 16 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ થયો હતો. બંન્ને એકબીજાને એટલો પ્રેમ કરવા લાગ્યા હતા કે શિક્ષિકા સગીર સાથે ભાગી ગઇ હતી. હવે વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા વિરુદ્ધ સેક્ટર 113 પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, સેક્ટર 123માં રહેતી 22 વર્ષની મહિલા ટીચર ઘરે બાળકોને કોચિંગ આપે છે. મહિલા ટીચરના ઘરની સામે એક 16 વર્ષનો છોકરો રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે સગીર છોકરો મહિલા ટીચર પાસે કોચિંગ માટે જતો હતો. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. આરોપ છે કે બંને રવિવારે ઘરેથી ભાગી ગયા હતા. વિદ્યાર્થીના પિતા મૂળ દેવરિયાના છે. ફરિયાદમાં છોકરાના પિતાએ જણાવ્યું છે કે, તેમનો 16 વર્ષીય પુત્ર રવિવારે સવારે 1:30 વાગે તે તેની માસીના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ તે સાંજ સુધી પરત આવ્યો ન હતો.

પોલીસે મહિલા ટીચર  સામે ગુનો દાખલ કર્યો હતો

સગીર વિદ્યાર્થીના પિતાએ પોલીસને જણાવ્યું કે સામે રહેતી 22 વર્ષની યુવતીએ તેને ફસાવ્યો હતો. છોકરાના પિતાની ફરિયાદ બાદ પોલીસે શિક્ષિકા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ મામલે એડિશનલ ડીસીપી આશુતોષ દ્વિવેદીએ કહ્યું હતું કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે, જાણવા મળ્યું છે કે સગીર યુવતી પાસે ભણવા જતો હતો. પ્રેમ પ્રકરણની વાતો પણ સામે આવી છે. સર્વેલન્સ અને અન્ય માધ્યમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં બંનેની ઓળખ થઈ જશે.

CRIME NEWS: સુરતમાં બંગાળી યુવતીએ કર્યો આપઘાત, માતાએ કર્યો ચોંકાવનારો આક્ષેપ

સુરતના અડાજણ વિસ્તારમાં એક યુવતીએ આપઘાત કરી લીધો છે. અડાજણના મહાદેવ નગરમાં રહેતી બંગાળી યુવતીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ મૃતક યુવતીની માતાએ આ આપઘાત માટે પાડોશી મહિલાને જવાબદાર ઠેરવી છે. હિરલ નામની મહિલાએ આપઘાત કરનાર યુવતીને માર મારતા આપઘાત કર્યાની માહિતી સામે આવી છે. આપઘાત કરનાર યુવતીની માતાએ પણ પાડોશી મહિલા.પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. અડાજણ પોલીસે અકસ્માત નોંધ કરી વધુ તપાસ આરંભી છે.

સુરતમાં પતંગ ચગાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો

 સુરતના નાનપુરા વિસ્તારમાં પતંગ ચગાવતી વેળાએ બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ ઘર્ષણમાં પત્થરમારો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ સમગ્ર મામલે બંને જૂથ વચ્ચે સામસામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. જેમાં પોલીસે ૧૪ પુરષ અને ૫ મહિલા મળી ૧૯ લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ સુરતના નાનપુરા ખલીફા મહોલ્લામાં પતંગ ચગાવતી વેળાએ બોલાચાલી બાદ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને વાત વણસી જતા પત્થરમારો થયો હતો. આ ઘટનાને લઈને અહી વાતાવરણ તંગ બન્યું હતું. પત્થરમારામાં બે થી ત્રણ લોકોને ઈજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ અહી રહેલી ૪ ફોરવ્હીલ અને ૮ બાઈકને પણ નુકશાન પહોચ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget