શોધખોળ કરો

Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન

Raja Raghuvanshi murder:હત્યાનો કિસ્સો સોનમ અને રાજના લગ્નથી શરૂ થયો હતો. લગ્નના દિવસે રાજ ખૂબ રડ્યો હતો, જેને જોઈને તેના મિત્રોએ રાજા રઘુવંશીને મારી નાખવાનું નક્કી કર્યું હતું. લગ્નના દિવસે જ રાજે સોનમને કહ્યું હતું - રાજાને શિલોંગ લાવો, તે તેને મારી નાખશે.બાદમાં સોનમે રાજાને કહ્યું - જ્યાં સુધી તું કામાખ્યાના દર્શન નહીં કરે, ત્યાં સુધી આપણે એક થઈ શકતા નથી

Raja Raghuvanshi murder:ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં પોલીસે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોનમ રઘુવંશીએ રાજાને મારવા માટે પ્લાન બી પણ તૈયાર કર્યો હતો. તે કોઈપણ ભોગે રાજાથી છૂટકારો મેળવવા માંગતી હતી. આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં સોનમના પ્રેમી રાજે તેને મદદ કરી હતી.

ઇન્દોરના પ્રખ્યાત રાજા રઘુવંશી હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોન્ટ્રાક્ટ કિલર્સે રાજાની હત્યા ન કરી હોત, તો સોનમ પાસે રાજાની હત્યા કરવાનો પ્લાન B હતો. સોનમ પોતે શિલોંગમાં સેલ્ફી લેતી વખતે તેને ધક્કો મારીને મારી નાખવાની હતી. મુખ્ય આરોપી સોનમને પોલીસે ગાઝીપુરથી ધરપકડ કરી છે અને મેઘાલય પોલીસ તેને પોતાની સાથે શિલોંગ લઈ ગઈ છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે રાજ સાથે મળીને રાજાની હત્યાની જવાબદારી તેના ત્રણ મિત્રોને સોંપી હતી. ત્રણેયે શિલોંગમાં આયોજનબદ્ધ રીતે રાજાની હત્યા કરી હતી. પરંતુ જો આ યોજના સફળ ન થઈ, તો સોનમે બેકઅપ પ્લાન બી પણ તૈયાર કર્યો હતો. સોનમનો બીજો પ્લાન એ હતો કે તે રાજાને એક ઊંચા સ્થાને લઈ જાય અને સેલ્ફી લેવાના બહાને તેને ધક્કો મારીને તે  દૂર થઈ જાય, જેથી તેના મૃત્યુને અકસ્માત તરીકે નોંધી શકાય.

હવાલા કનેકશન

પોલીસ તપાસમાં રાજ કુશવાહાના ફોનમાંથી અનેક હવાલા વ્યવહારોના સંકેતો મળ્યા છે. ફોનમાંથી હવાલા વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતી નોટોના ચિત્રો પણ મળી આવ્યા છે. સૌથી મોટો ખુલાસો એ છે કે હવાલા વ્યવહારોમાં સોનમ રઘુવંશીના બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોનમના પ્રેમી રાજ કુશવાહાએ હત્યા પહેલા પીથમપુરના એક હવાલા વેપારી પાસેથી 50,000 રૂપિયા ઉધાર લીધા હતા, જે તેણે તેના ત્રણ મિત્રોમાં વહેંચી દીધા હતા. આ પૈસાનો ઉપયોગ કદાચ હત્યાને અંજામ આપવાની તૈયારીમાં થયો હશે.

લગ્ન અને કાવતરું

હત્યાનો કિસ્સો સોનમ અને રાજના લગ્નથી શરૂ થયો હતો. લગ્નના દિવસે રાજ ખૂબ રડ્યો હતો, જેને જોઈને તેના મિત્રોએ રાજા રઘુવંશીને મારી નાખવાનું નક્કી કર્યું હતું. લગ્નના દિવસે જ રાજે સોનમને કહ્યું હતું - રાજાને શિલોંગ લાવો, તે તેને મારી નાખશે.બાદમાં સોનમે રાજાને કહ્યું - જ્યાં સુધી તું કામાખ્યાના દર્શન નહીં કરે, ત્યાં સુધી આપણે એક થઈ શકતા નથી. આ બહાને રાજાને શિલોંગ લઈ જવામાં આવ્યો. જો સૂત્રોનું માનીએ તો, હત્યા પછી સોનમ નેપાળ ભાગી જવાની તૈયારી કરી રહી હતી. હત્યા પછી, તે સિલિગુડી થઈને ઇન્દોર આવી, અને પછી ઉત્તર પ્રદેશ પહોંચી.

ઓપરેશન હનીમૂન કેવી રીતે સફળ થયું?

આ સમગ્ર કેસના સ્તરોને ઉજાગર કરવા માટે, મેઘાલય પોલીસે ઓપરેશન હનીમૂન હાથ ધર્યું, જેમાં 120 થી વધુ પોલીસકર્મીઓ સામેલ હતા. 42 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ શોધવામાં આવ્યા. આ પછી જ, સમગ્ર કાવતરાની કડીઓ જોડી શકાઈ. રાજા અને સોનમના લગ્ન આ વર્ષે 11 મેના રોજ થયા હતા. લગ્ન પછી, બંને હનીમૂન માટે શિલોંગ ગયા હતા, જ્યાં રાજાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડની મુખ્ય સૂત્રધાર રાજાની પત્ની સોનમ હતી.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget