શોધખોળ કરો

Sushant suicide caseમાં આદિત્ય ઠાકરેની સંડોવણી પર સવાલ: સાંસદ રાહુલ શેવાલેએ લગાવ્યા ગંભીર આરોપ

સુશાંત સિંહ રાજપુત કેસમાં આદિત્ય ઠાકરે ભલે ક્લિનચિટ મળી ગઈ હોય. પરંતુ વધુ એક વખત તપાસનો દોર લંબાઈ શકે છે.

Sushant Singh Rajput death case: સુશાંત સિંહ રાજપૂતના મોતનો વિવાદ ફરી એકવાર ઉભો થતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાલેએ બુધવારે સુશાંતના મૃત્યુમાં આદિત્ય ઠાકરેની સંડોવણી પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ શેવાળેનું કહેવું છે કે સીબીઆઈની તપાસમાં સામે આવ્યું છે કે રિયા ચક્રવર્તીને એક AU દ્વારા 44 વખત ફોન કરવામાં આવ્યો હતો. લોકસભામાં આ મામલો ઉઠાવતા રાહુલ શેવાળેએ કહ્યું- 'રિયા ચક્રવર્તીની AU નામના વ્યક્તિ દ્વારા 44 વખત ફોન કરવામાં આવ્યો હતો અને બિહાર પોલીસનું કહેવું છે કે એયુ બીજું કોઈ નહીં પણ આદિત્ય ઠાકરે હતા. તેથી હું જાણવા માંગુ છું કે સીબીઆઈ આ મામલે શું તપાસ કરી રહી છે.=

આદિત્ય ઠાકરેએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

રાહુલ શેવાલેના આક્ષેપો અંગે આદિત્યે રિએક્શન આપ્યું હતું. તેણે કહ્યું હતું, 'હું માત્ર એટલું કહેવા માગીશ કે હું તમને ઘણો જ પ્રેમ કરું છું. જે વ્યક્તિ પોતાના ઘર ને પાર્ટીની ના થઈ તે વ્યક્તિ પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકીએ. આ વાત તો બધા જ કરે છે કે મુખ્યમંત્રી શિંદે જમીન કૌભાંડમાંથી ધ્યાન ભટાકવવા માટે આમ કરે છે.' વધુમાં આદિત્યે કહ્યું હતું, 'હું તે ગંદકીમાં જવા માગીશ નહીં. અમે લોકો પૂરી રીતે ચોખ્ખા ને નિર્દોષ છીએ. જે કોઈ આવી ધડમાથા વગરની વાતો કરે છે, તેને જવાબ આપવા અમે બંધાયેલા નથી.'

સુશાંત કેસમાં AUનું નામ આવ્યું હતું

જણાવી દઈએ કે જ્યારે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ ચાલી રહી હતી ત્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને AU નામના વ્યક્તિ વચ્ચે 44 કોલ થયા હતા. ત્યારે તપાસમાં સહકાર આપવા આવેલી બિહાર પોલીસે આદિત્ય ઠાકરે સાથે એયુના સંબંધની વાત કરી હતી. આ મામલે આદિત્ય ઠાકરેના મૌનને કારણે તેમની ઘણી ટીકા પણ થઈ હતી.

મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો

આ અંગે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલે અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ ગૃહમાં દિશા સાલિયાનના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની તપાસની માંગ કરી હતી. આ પછી, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે દિશા સલિયાનના મૃત્યુની SIT તપાસના આદેશ આપ્યા છે. જણાવી દઈએ કે દિશા સાલિયાન સુશાંતની મેનેજર હતી અને સુશાંતના મૃત્યુના થોડા દિવસો પહેલા તેણે પણ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.

14 જૂન 2020ના રોજ સુશાંતની લાશ તેના ઘરમાંથી મળી આવી હતી 

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020 ના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રથમ નજરે આ મામલો આત્મહત્યાનો હોવાનું જણાયું હતું, પરંતુ બાદમાં મીડિયા અને વિરોધ પક્ષોના દબાણને કારણે મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

સીબીઆઈની તપાસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યો

મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આરોપ છે કે તે પોતે પણ ડ્રગ્સ લેતી હતી અને તે સુશાંતને પણ આપતી હતી. આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ રિયાને આરોપી શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. આ સમયગાળા દરમિયાન રિયા અને તેના ભાઈને પણ એક મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

સુશાંતના આત્મહત્યાના કેસમાં રિયા ખરાબ રીતે ફસાઈ ગઈ હતી

જ્યારે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી ત્યારે સુશાંતના પરિવારજનોએ રિયા પર સુશાંતને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પરિવારનું માનવું હતું કે સુશાંતના મૃત્યુમાં રિયાની કોઈ ભૂમિકા હતી. આ સિવાય રિયા પર સુશાંતને ડ્રગ્સ આપવાનો પણ આરોપ હતો. જો કે સીબીઆઈના અંતિમ રિપોર્ટમાં રિયા સામે કોઈ આરોપ સાબિત થયો ન હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ
Dhurandhar 2 OTT Release: થિએટ્રિકલ રન બાદ OTT ક્યારે અને ક્યાં રિલીઝ થશે ‘ધુરંધર 2', આ રહી પુરેપુરી ડિટેલ્સ
Dhurandhar 2 OTT Release: થિએટ્રિકલ રન બાદ OTT ક્યારે અને ક્યાં રિલીઝ થશે ‘ધુરંધર 2', આ રહી પુરેપુરી ડિટેલ્સ

વિડિઓઝ

Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી
Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
Dhurandhar 2: ધૂરંધર 2એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 3 દિવસમાં 300 કરોડના પાર, છપ્પરફાડ કમાણી
Dhurandhar 2: ધૂરંધર 2એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 3 દિવસમાં 300 કરોડના પાર, છપ્પરફાડ કમાણી
Strait Of Hormuz Toll: શું દરિયામાં જતા જહાજોએ ટોલ ચૂકવવો પડે છે, જાણો હોર્મુઝ સ્ટ્રેટમાં આ ટેક્સ કોણ વસૂલ છે?
Strait Of Hormuz Toll: શું દરિયામાં જતા જહાજોએ ટોલ ચૂકવવો પડે છે, જાણો હોર્મુઝ સ્ટ્રેટમાં આ ટેક્સ કોણ વસૂલ છે?
ભારતમાં લોન્ચ થઇ Skoda Kushaq Facelift, Creta, જાણો કિંમત સાથે શાનદાર ફિચર્સ
ભારતમાં લોન્ચ થઇ Skoda Kushaq Facelift, Creta, જાણો કિંમત સાથે શાનદાર ફિચર્સ
Embed widget