ટ્વિંકલે પત્રકાર જેનિસ સેકુએરાના ટ્વિટને રિટ્વિટ કરતાં લખ્યું કે, તનુશ્રી દત્તા પર ફેંસલો લેવા કે તેને શરમમાં મૂકતા પહેલા મહેરબાની કરીને આ વાંચો. શોષણ કે ધમકી વગર કામ કરવું એક મૌલિક અધિકાર છે અને બહાદુર મહિલા દ્વારા બોલવાથી આપણને તમામને લક્ષ્ય તરફ આગળ વધવામાં મદદ મળે છે.
2/4
આ અંગે તનુશ્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, સપોર્ટ માટે આભાર મેમ. પરંતુ તમારો પતિ (અક્ષય કુમાર) શું છે. તે હજુ પણ નાના પાટેકર સાથે શૂટિંગ કરી રહ્યો છે. તે અંગે શું કહેશો ? તેણે હજુ સુધી મારી માફી નથી માંગી પરંતુ જૂઠ્ઠુ બોલી રહ્યા છે. તમે તેની સાથે કામ કરી રહ્યા છો જેથી તેને જીતનો અહેસાસ થાય છે.
3/4
નવી દિલ્હીઃ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવનારી બોલીવુડ એકટ્રેસ તનુશ્રી દત્તાના સપોર્ટમાં અનેક બોલીવુડ સેલિબ્રિટીઝ આવ્યા છે. ટ્વિંકલ ખન્નાએ પણ તેના સપોર્ટમાં ટ્વિટ કર્યું હતું પરંતુ તનુશ્રીએ તેના પતિ અક્ષય કુમાર પર જ સવાલ ઉઠાવી દીધો છે.