શોધખોળ કરો

યમરાજ કોલિંગ-2 જોયા બાદ ઉદાસ ચહેરા પર પણ આવી જશે ખુશી

વેબ સિરીઝમાં પહેલી સિઝનના કલાકારોની અદાકારી આ વખતે પણ જોવા મળશે.

આજે અમે જોયેલી વેબ સિરીઝ યમરાજ કોલિંગ સિઝન 2  શેમારુમી OTT પ્લેટફોર્મ પર જોઈ, જે થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવી હતી. આ સિરીઝની પહેલી સિઝન હિટ થયા બાદ શેમારુમીએ તેનો બીજો ભાગ બનાવ્યો અને આ શો પ્રેક્ષકોને જલસા કરાવી રહ્યો છે. સાત એપિસોડ ધરાવતી યમરાજ કોલિંગ-2ને પણ ધર્મેશ મહેતાએ જ ડિરેક્ટ કરી છે.

વેબ સિરીઝમાં પહેલી સિઝનના કલાકારોની અદાકારી આ વખતે પણ જોવા મળશે. જોકે આ વખતે એક નવા પાત્ર તરીકે ધર્મેશ વ્યાસની એન્ટ્રી થઈ છે. પાર્ટ-2માં અમર મહેતા (દેવેન ભોજાણી) અને તેમના પરિવાર પર આવતી મુશ્કેલીઓની વાર્તા છે. સુખરૂપ જીવન જીવતા અમરના પિતાને બ્રેઇન ટ્યૂમર થયું હોવાની જાણ થાય છે, પરંતુ સારવારના ખર્ચ માટે અમર પાસે પૈસા નથી. બીજી તરફ અમરના પુત્રનું સપનું પણ વેરવિખેર થઈ જાય છે. એમાંય અમરની પત્ની અને પુત્રીની ચિંતા તો અલગ જ છે. એમાં વળી પોતાની પરેશાનીથી છુટકારો મેળવવા બાપુજી ઘર છોડવાનો નિર્ણય કરે છે. જોકે પરિવાર તેમને મનાવી લે છે, પણ તેઓ એક શરત મુકે છે. હવે અમરનો પરિવાર આ શરત પૂર્ણ કરી શકશે કે નહીં, તે જોવા માટે તમારે શેમારુમી OTT પર યમરાજ કોલિંગ-2 વેબ સિરીઝ જોવી રહી.

હવે વાત, કરીએ કલાકારોની તો યમરાજ કોલિંગ-2માં દેવેન ભોજાણીની સાથે નિલમ પંચાલ, દીપક ઘીવાલા, મઝેલ વ્યાસ અને મીત વ્યાસ જોવા મળશે. બીજો ભાગ જોયા બાદ ચોક્કસ કહી શકાય કે, આ વખતે દર્શકોને વેબ સિરીઝના પહેલાં પાર્ટ કરતાં બીજો પાર્ટ વધુ પસંદ આવશે. યમરાજ કોલિંગ-2માં એ તમામ મનોરંજન જોવા મળશે, જે એક પરિવાર પોતાની જિંદગીમાં અનુભવે છે. આ વાર્તાને તમે પોતાના જીવન સાથે ક્યાંકને ક્યાંક ચોક્કસ જોડી શકશો. રોજબરોજની મુશ્કેલી અને તકલીફોમાં જિંદગી કેવી રીતે હળવી બનાવીને જીવી શકાય તેને સારી રીતે રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે. જેમાં રમૂજની સાથે સ્ટ્રોંગ મેસેજ પણ છે. આ વેબ સિરીઝમાં ગમવા લાયક બાબત છે ભાર્ગવ ત્રિવેદીએ લખેલા વન લાઈનર્સ. આ સિવાય આજની વર્તમાન પરિસ્થિતીઓ સાથે આ વેબ સિરીઝને ઘણી સારી રીતે જોડવામાં આવી છે. એક પિતા કઈ રીતે પોતાના બાળકોનો દોસ્ત બની શકે છે જો એ જાણવું હોય તો આ વેબ સિરીઝ અચૂક જોવી જોઈએ.

 
 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 

વિડિઓઝ

Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ ક્યારથી શરુ થશે, અહીં જુઓ 5 મેચનું સંપૂર્ણ શેડ્યૂલ 
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ ક્યારથી શરુ થશે, અહીં જુઓ 5 મેચનું સંપૂર્ણ શેડ્યૂલ 
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
હંમેશા માટે બંધ થઈ જશે ગેસ સબસિડી! બે દિવસમાં કરી લો આ કામ, જાણો LPG e-KYCની પ્રોસેસ
હંમેશા માટે બંધ થઈ જશે ગેસ સબસિડી! બે દિવસમાં કરી લો આ કામ, જાણો LPG e-KYCની પ્રોસેસ
Embed widget