શોધખોળ કરો
Advertisement

Samsungએ ગેલેક્સી નોટ 7નું ઉત્પાદન સ્થગિત કર્યું, જાણો શું છે કારણ

1/5

અધિકારીએ જણાવ્યું કે, કામચલાઉ ધોરણે આ સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય દક્ષિણ કોરિયા, અમેરિકા અને ચીનના ઉપભોક્તા સુરક્ષા નિયામકોની સાથે સહયોગથી લેવામાં આવ્યો છે. સેમસંગે 2 સપ્ટેમ્બરે ગેલેક્સી નોટ 7નું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને વેચવામાં આવેલ ફોન બજારમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી હતી.
2/5

સેમસંગ દ્વારા રિપ્લેસ કરવામાં આવેલ ગેલેક્સી નોટ 7માં પણ આગ લાગવાની કેટલીક ઘટના સામે આવી છે. 5 ઓક્ટોબરે સાઉથવેસ્ટ એરલાઈન્સી લુઇસવિલેથી બાલ્ટીમોર જઈ રહેલ ફ્લાઈટમાં બોર્ડિંગ દરમિયાન ગેલેક્સી નોટ 7 સ્માર્ટફોનમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. બ્રાયન ગ્રીન નામના પ્રવાસીએ 21 સપ્ટેમ્બરે નવો નોટ 7 ફોન ખરીદ્યો હતો. તેમણે ફોન ઓફ કરી દીધો હતો પરંતુ ત્યાર બાદ પોનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.
3/5

સેમસંગે 19 ઓગસ્ટ 2016ના રોજ નોટ 7 ફોન વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યો હતો. બાદમાં ચાર્જિંગ દરમિયાન બેટરીમાં આગ લાગવા જેવી ઘટનાઓ બાદ વિશ્વભરમાંથી તમામ નોટ 7 ડિવાઈસ રિકોલ કરવા પડ્યા હતા. તેની જગ્યાએ કંપનીએ ગ્રાહકોને નવા ફોન આપવાનો નિર્ણય કર્યો હતો.
4/5

નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવતી વિશ્વની જાણીતી કંપની Samsungએ પોતાનો ગેલેક્સી નોટ 7 સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કર્યું છે. એક અહેવાલમાં આવાતનો ખુલાસો થયો છે. આ સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાના સમાચાર બાંદ કંપનીએ અંદાજે એક મહિનાપહેલા જ આ ફોન બજારમાંથી પરત ખેંચી લીધા હતા.
5/5

દક્ષિણ કોરિયાના મીડિયાએ સોમવારે પોતાના અહેવાલમાં આ દાવો કર્યો છે. યોન્હાપ ન્યૂઝ એજન્સીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સેમસંગે ચીન અને યૂએસ ઓથોરિટીઝના કો-ઓપરેશનમાં આ પ્રોક્શન અટકાવી દીધું છે. બે અમેરિકન કેરિયરે ગેલેક્સી 7 સ્માર્ટફોન્સના વેચાણ અને એક્સચેન્જ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અહેવાલ પર કંપનીએ હજુ સુધી કોઈ ખુલાસો આપ્યો નથી.
Published at : 10 Oct 2016 01:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
