શોધખોળ કરો
'આનંદીબેનને સાચી વાત કહેવાની કિંમત મેં ચુકવી, બેનને આંગળી ઊંચી કરે એવા લોકો જ પસંદ છે'
1/5

ગાંધીનગરઃ આજે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું, તેમાં ગુજરાતના મનસુખ વસાવાને પડતા મુકાયા છે. આ વિસ્તરણ પહેલાં વસાવાએ પોતાને કેમ પડતા મુકાયા તે અંગેના કારણો એક અખબાર સાથેની વાતચીતમાં આપ્યા હતા. તેમણે આ વાતચીતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે ખુલ્લેઆમ બળાપો કાઢીને પ્રહાર કર્યા હતા.
2/5

મનસુખ વસાવાએ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સોમવારે સાંજે દિલ્હી પહોંચ્યા પછી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તેમને મળવા બોલાવ્યા હતા. તેમને મળ્યા ત્યારે પ્રમુખ સાથે ભાજપના નેતા રામલાલ પણ હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખે મને કહ્યું કે તમારે રાજીનામુ આપવાનું છે. એટલે મેં આ અંગે કોઇ કારણ પુછ્યું નથી. મારા નિવાસસ્થાને આવીને તુરત જ રાજીનામાનો પત્ર મેં મોકલી આપ્યો હતો.
Published at : 05 Jul 2016 11:19 AM (IST)
View More




















