શોધખોળ કરો
ભાજપે પરસોત્તમ સોલંકીને મનાવી લીધા, વિજય રૂપાણીએ સોલંકીને શું આપી ખાતરી? જાણો વિગત
1/5

સોલંકીએ પોતાની નારાજગી દૂર નહીં થાય અને યોગ્ય ખાતાં નહીં મળે તો પોતે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રાલયને છોડી દેશે તેવી ચીમકી પણ આપી છે. સાથે સાથે તેમણે એવી ધમકી પણ આપી છે કે, ભાજપ કોળી સમાજને થયેલો અન્યાય દૂર નહીં કરે તો 2019ની લોકસભાની ચૂંટણીમાં કોળી સમાજ ભાજપને પરચો આપશે.
2/5

સોલંકીએ બે દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને તેમની સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. રૂપાણીને મળવા જતાં પહેલાં સોલંકીએ મીડિયા સામે પોતાનો અસંતોષ શબ્દો ચોર્યા વિના વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, કોળી સમાજ નારાજ છે અને સરકારે કંઇક કરવું જોઇએ.
Published at : 04 Jan 2018 01:09 PM (IST)
View More























