શોધખોળ કરો

Health tips: ફળો ખાધા બાદ પાણી પીવાથી શરીરને થાય છે આ નુકસાન

ફળો ખાધા બાદ કેટલીક ભૂલો કરવાથી ફળોનું સેવન પણ નુકસાનકારક સાબિત થાય છે.

Health tips:આપણે જાણીએ છીએ કે, ફળો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ આહાર છે, ફળોમાં મોજૂદ મિનરલ,વિટામીન,ફાઇબર જેવા અનેક પોષક તત્વો છે. જે શરીરના હિતકારી છે પરંતુ ફળો ખાધા બાદ કેટલીક ભૂલો કરવાથી ફળોનું સેવન પણ નુકસાનકારક સાબિત થાય છે.

 ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ. ફળોમાં યીસ્ટ અને ખાંડની માત્રા વધુ હોય છે. જેનાથી એસિડિટી થાય છે. જો ફળ ખાઇને પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. જેથી ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ.

 ફળોમાં પાણીની માત્રા વધુ હોય છે. તેથી ફળો ખાધા બાદ પાણી પીવાથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે. ફળો ખાધા બાદ પાણી પીવાથી ડાયરિયાની સમસ્યા પણ થઇ શકે છે.

 આટલું જ નહીં ફળો ખાઇને પાણી પીવાથી પાચન તંત્ર નબળું થઇ જાય છે. જમવાનું પચાવતો એસિડ મંદ પડી જાય છે અને સારી રીતે પચતું નથી. આ સ્થિતિમાં ગેસ એસિડીડીની સમસ્યા વધી જાય છે.

 હવે સવાલ એ થાય છે કે, ફળો ખાધાના કેટલા કલાક બાદ પાણી પીવું જોઇએ, તો હેલ્થ નિષ્ણાત કહે છે કે, ફળો ખાધાના એક કલાક બાદ પાણી પીવું જોઇએ. તેનાથી કોઇ સમસ્યા નથી થતી

 જમ્યા પહેલા અને બાદ ફળોનું સેવન ન કરવું જોઇએ. જમ્યાના એક કલાક પહેલા અને જમ્યાના એક કલાક બાદ ફળો ખાઇ શકાય છે. ખાટા ફળોને ખાલી પેટ ન ખાવા જોઇએ, તેનાથી એસિડ વધે છે.

 જે લોકો દહી અને દૂધ સાથે ફળો લેવાનું પસંદ કરે છે. તેમને આવું બિલકુલ ન કરવું આ આદતથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યા થઇ શકે છે.

ગાર્નિશ માટે વપરાતી આ ચીજ છે ગુણોનો ભંડાર, સેવનથી થાય છે અદભૂત ફાયદા

 Benefits Of Coriander Leaves: કોથમીરમાં અદભૂત ઓષધિય ગુણો રહેલા છે. તેના સેવનથી સ્વાસ્થ્યને અદભૂત ફાયદા થાય છે. તેના ફાયદા જાણીએ આપ તેને ડાયટમાં સામેલ કરવા મજબૂર થઇ જશો

કોથમીરના પાન સામાન્ય રીતે રસોઇમાં જોવા મળે છે. તેના વિના મોટાભાગના વ્યંજન અધૂરા છે. કોથમીર સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પાચન સુધારવાની સાથે અન્ય સ્વાસ્થ્યને અન્ય અદભૂત ફાયદા કરે છે આ કોથમીર..

ડાયાબિટીસમાં કારગર ઓષધ
ફૂડ કેમેસ્ટ્રીમાં પ્રકાશિત રિસર્ચ મુજબ કોથમીરમાં ખાસ યૌગિક હોય છે. જે બ્લડ અને ગ્લુકોઝ લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જે યોગિક બ્લડમાથી શુગર હટાવતા એન્જાઇમ્સને સક્રિય કરે છે. આ રીતે આપનું ગ્લુકોઝ લેવલ નિયંત્રણમાં રહે છે.

પાચન સુધારે છે
કોથમીર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તેમાં ફાઇબર પણ મોજૂદ છે. જે પાચન સુધારવાનું કામ કરે છે અને બ્લોટિગ અને કબજિયાત દૂર કરે છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી અન્ય અનહેલ્થી ફૂડ ખાવાથી પણ બચી શકાય છે.

હાર્ટના સ્વાસ્થ્ય માટે હિતકારી
ઉંમર વધવાની સાથે હાર્ટ સંબંધિ સમસ્યાઓ શરૂ થઇ જાય છે. આ સ્થિતિમાં વિટામિન પ્રોટીનથી ભરપૂર ભોજન લેવાની સલાહ અપાઇ છે. એક રિસર્ચ મુજબ કોથમીર રોજ ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીનો ખતરો ઘટી જાય છ અને બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ કાબૂમાં રહે છે.

તણાવને ઓછો કરે છે
કોથમીરના પાન તણાવને ઓછો કરે છે.તે પાચનશક્તિને સક્ષમ કરે છે. પાચનતંત્રના માધ્યમથી કોથમીર હળવું મહેસૂસ કરવાની મૂડને ઝડપથી બદલે છે. કોથમીરમાં મોજૂદ  પોષકતત્વ ઓક્સિડેટિવ તણાવને ઓછો કરે છે.

દષ્ટી સુધારે છે
આજના સમયમાં આપણી આંખો આખો દિવસ ટેલિવિઝન, મોબાઇલ,કમ્પ્યુટરમાં વ્યસ્ત રહે છે. આ ટેકનોલોજી આપની દષ્ટી પર વિપરિત પ્રભાવ પાડે છે. જો કે કોથમીર આ વિપરિત અસરેન ઓછી કરે છે. કોથમીર વિટામિન ઇ, આયરનથી ભરપૂર છે. જે આપણી દષ્ટીને વધુ સક્ષમ બનાવે છે. કોથમીર એનીમિયાના ઇલાજમાં પણ કારગર છે.

 Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

 

 

 



 

ટોપ સ્ટોરી

20-30ની ઉંમરે કેન્સરનું જોખમ? શરીરના આ સામાન્ય લક્ષણોને ભૂલથી પણ ન અવગણતા
20-30ની ઉંમરે કેન્સરનું જોખમ? શરીરના આ સામાન્ય લક્ષણોને ભૂલથી પણ ન અવગણતા
શું તમને ઓશીકું વાળીને ઊંઘવાની ટેવ છે? તો આ આદત બગાડી શકે છે તમારું સ્વાસ્થ્ય
શું તમને ઓશીકું વાળીને ઊંઘવાની ટેવ છે? તો આ આદત બગાડી શકે છે તમારું સ્વાસ્થ્ય
Health: રાત્રે અચાનક ખુલ્લી જાય છે ઊંઘ, આ બીમારીના હોઇ શકે છે સંકેત
Health: રાત્રે અચાનક ખુલ્લી જાય છે ઊંઘ, આ બીમારીના હોઇ શકે છે સંકેત
Tawa Cleaning: લોખંડનો તવો હંમેશા નવો જ રહેશે, સાફ કર્યા પછી કરો આ 1 કામ
Tawa Cleaning: લોખંડનો તવો હંમેશા નવો જ રહેશે, સાફ કર્યા પછી કરો આ 1 કામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'
Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'
અમદાવાદમાં અનરાધાર વરસાદ: નરોડા અને કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાયા, કયા રસ્તાઓ થયા બંધ?
અમદાવાદમાં અનરાધાર વરસાદ: નરોડા અને કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાયા, કયા રસ્તાઓ થયા બંધ?
Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય
Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય
Embed widget