શોધખોળ કરો

Health: ખાલી પેટ આ માત્રમાં જ ડ્રાયફ્રૂટ ખાવાથી શરીરને પહોંચે છે અદભૂત ફાયદા, નહિતો થશે નુકસાન

કાજુ ખાવા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાજુમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી6, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, આયર્ન, ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે.

Cashew Nuts:ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જ આપણે તેને આપણા આહારમાં સામેલ કરવા જોઈએ. ડ્રાયફ્રુટ્સમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો કે કાજુ, બદામ, કિસમિસ, અખરોટ અને ઘણા બધા ડ્રાય ફ્રુટ્સમાં આવે છે, પરંતુ કાજુ ખાવું તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. કાજુમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી6, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, આયર્ન, ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે. તમે ખાલી પેટ કાજુ ખાઈ શકો છો, આમ કરવાથી તમે તેના તમામ પોષક તત્વો સરળતાથી મેળવી શકો છો. તો ચાલો જાણીએ કાજુના ફાયદા વિશે.

ખાલી પેટ કાજુ ખાવાના ફાયદા

 કબજિયાતની સમસ્યામાંથી રાહત

કાજુમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા છે, તેમને  કાજુનું સેવન કરવું જોઇએ. કાજુનું સેવન કરવાથી પાચનતંત્ર તો સ્વસ્થ રહે છે પરંતુ પેટની સમસ્યાઓથી પણ રાહત મળે છે.

 વજન નિયંત્રિત  રાખશે

ખાલી પેટ કાજુ ખાવાથી વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે. ખાલી પેટ કાજુ ખાવાથી તમને દિવસ દરમિયાન ભૂખ લાગશે નહીં. ભૂખ ન લાગવાને કારણે તમે વધુ ખાવાનું ટાળશો. જેથી વજન નિયંત્રણમાં રહી શકશે.

 મેમરી બૂસ્ટ થશે

કાજુમાં મેગ્નેશિયમ જોવા મળે છે અને મેગ્નેશિયમ ખાવાથી માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. આવી સ્થિતિમાં, જેમને યાદશક્તિની સમસ્યા છે તેઓ તેમના આહારમાં કાજુનો સમાવેશ કરી શકે છે. તેનાથી તમારું મેગ્નેશિયમ લેવલ વધશે અને તમારી યાદશક્તિ પણ સુધરશે.

 હાડકાંને મજબૂત કરવામાં મદદગાર

કાજુ હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ અસરકારક છે. તેમાં હાજર મેગ્નેશિયમ હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં જોવા મળતા સોડિયમ અને કેલ્શિયમ હાડકાંની નબળાઈ દૂર કરવામાં ઉપયોગી છે. આવી સ્થિતિમાં, તમે કાજુનું સેવન કરીને હાડકાંને મજબૂત બનાવી શકો છો અને હાડકાની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

કાજુના સેવનથી થતા નુકસાન

  • કહેવાય છે કે કોઈપણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્ય માટે સારો નથી. આ નિયમ કાજુ માટે પણ લાગુ પડે છે. કાજુ વધારે ખાવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. આમાંના કેટલાક ગેરફાયદા નીચે મુજબ છે-
  • કાજુ વધારે ખાવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધી શકે છે. આવી સ્થિતિમાં સોડિયમનું પ્રમાણ વધવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.
  • જો કાજુમાં રહેલા ફાઈબરની માત્રા શરીરમાં વધી જાય છે, તો તેનાથી પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે પેટ ફૂલવું, ગેસ વગેરેનો સામનો કરવો પડી શકે છે.
  • જો કાજુમાં હાજર પોટેશિયમની માત્રા શરીરમાં વધી જાય તો કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી કાજુનું સેવન યોગ્ય માત્રામાં કરો.

દિવસમાં કેટલા કાજુ ખાવા યોગ્ય છે?

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકોનું વજન ઓછું  અને  અથવા જો તે  કોઈપણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો છો તો તમે એક દિવસમાં 50-100 ગ્રામ કાજુ ખાઈ શકો છો. જો આવું કંઈ ન હોય તો દિવસમાં 5-6 કાજુનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget