શોધખોળ કરો

Heart patients : હૃદયના દર્દીઓએ શું વધું પાણી ન પીવું જોઇએ?  જાણો કારણ

હેલ્થ એક્સપર્ટ અને ડોક્ટર્સ વારંવાર કહે છે કે વ્યક્તિએ દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ.

પાણી એ જીવન છે એવું આપણે ઘણી વાર સાંભળ્યું હશે. એ વાત પણ સાચી છે કે વ્યક્તિ ખોરાક વગર થોડા દિવસ જીવી શકે છે પરંતુ પાણી વિના તે મુશ્કેલ છે. શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ અને ડોક્ટર્સ વારંવાર કહે છે કે વ્યક્તિએ દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ. જ્યારે કેટલાક લોકો 7-8 ગ્લાસ પાણી પીવું શ્રેષ્ઠ માને છે. શરીરમાં પાણીની ઉણપને કારણે વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બની શકે છે. શરીરમાં પાણીની ઉણપ અન્ય ઘણી સમસ્યાઓ વધારી શકે છે. જેના કારણે પેટ સંબંધિત અન્ય ગંભીર સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે. હૃદયના દર્દીઓને વધુ પાણી પીવાની મનાઈ છે કારણ કે વધુ પડતું પાણી પીવાથી અન્ય સમસ્યાઓ થઈ શકે છે. હવે સવાલ એ થાય છે કે હૃદયના દર્દીઓએ દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?

આ કારણથી હાર્ટના દર્દીઓએ વધારે પાણી ન પીવું જોઈએ.

વધુ પાણી પીવાથી હૃદય રોગથી પીડિત દર્દીને નુકસાન થઈ શકે છે. તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ.પાણીની માત્રા ગ્લાસના કદથી મોટા પ્રમાણમાં બદલાઈ શકે છે. 'ઓનલી માય હેલ્થ'માં છપાયેલા સમાચાર અનુસાર, જો હૃદયના દર્દીઓ વધારે પાણી પીવે છે તો તેમની સમસ્યાઓ વધી શકે છે. હૃદયના દર્દીઓને શરીરમાં સોડિયમ, પોટેશિયમ તેમજ મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં વધારે પાણી પીવાથી ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન બગડી શકે છે. હૃદયના પમ્પિંગમાં ખલેલ અને ધમનીઓમાં નબળાઈ આવી શકે છે.

જો હૃદયરોગના દર્દીઓ વધારે પાણી પીવે તો તેમના હૃદયના ધબકારા વધી શકે છે. ઉપરાંત, હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ ફેલ્યોર જેવી સ્થિતિઓ ઊભી થઈ શકે છે. વધારે પાણી પીવાથી જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં રોગ ઠીક થવાને બદલે વધશે.

હૃદયના દર્દીએ દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?

હાર્ટ પમ્પિંગ શરીરમાં પાણીની માત્રાને સંતુલિત કરે છે. જે લોકો હ્રદય રોગથી પીડિત હોય છે તેમની પમ્પિંગ ક્ષમતા ધીરે ધીરે નબળી પડવા લાગે છે. આવી સ્થિતિમાં વધારે પાણી પીવાથી જોખમ વધી શકે છે. દર્દીની તબિયત બગડી શકે છે. હૃદયના દર્દીઓને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, પુષ્કળ પાણી પીવાની મનાઈ છે. હૃદયના દર્દીએ દરરોજ 2 લીટરથી વધુ પાણી ન પીવું જોઈએ. ઉપરાંત, ખોરાકમાં કોઈ ચોક્કસ પ્રકારના પ્રવાહીનો સમાવેશ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget