શોધખોળ કરો

Sugar Controlling Tips: બ્લડ સુગરને નિંયત્રિત કરી શકે છે આ ઘરેલુ સરળ નુસખા, ડાયટમાં કરો સામેલ

Ayurvedic tips to control diabetes: અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો.

Ayurvedic tips to control diabetes: અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત  કરી શકો છો.

સુગર એટલે કે ડાયાબિટીસ એ હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે. વિશ્વમાં જે રોગોમાં સૌથી વધુ દર્દીઓ જોવા મળશે તેમાં શુગરનું નામ ટોચ પર  છે. જો કે આ રોગને આટલો ભયાનક બનાવવામાં આપણો હાથ છે. આપણે આપણું જીવન અને નિત્યક્રમ એવું બનાવી લીધું છે કે જાણે આપણે ડાયાબિટીસને હાથ લંબાવીને આવકારીએ છીએ.

સીટીંગ જોબ, ટાર્ગેટ પ્રેશર, વર્ક સ્ટ્રેસ વગેરેને કારણે આપણે હંમેશા માનસિક તણાવમાં રહીએ છીએ. સાથોસાથ કલાકોના બેસીને અને બિનઆરોગ્યપ્રદ આહાર લઇને લોકો મધુપ્રમહેને આમંત્રણ કરે છે. , એક વખત ડાયાબિટીસ થઇ જાય બાદ  અમુક આયુર્વેદિક દવાઓ સિવાય, અત્યારે એવી કોઈ પદ્ધતિ સંપૂર્ણપણે ભરોસાપાત્ર નથી, જેને અનુસરીને  આ બીમારીને સંપૂર્ણપણે  મટાડી શકાય. જો કે લાઇફસ્ટાઇલ અને ઇટિંગ હેબિટમાં સુધારો કરીને તેને નિયંત્રિત કરી શકાય છે. 

કયા ઘરગથ્થુ ઉપચારથી શુગર કંટ્રોલ થાય છે?

  • જાંબુના પાન
  • મેથી
  • બેલપત્ર
  • કારેલા
  • ત્રિફળા
  • હળદર પાવડર
  • શિલાજીત
  • લીમડાના પાન

ડાયાબિટીસથી બચવાના ઘરેલુ ઉપાયો શું છે

  • સવારે ખાલી પેટે જામુનના પાનની ચા પીવાથી સુગરને નિયંત્રિત કરી શકાય છે.
  • તમારે દરરોજ બિલ્વના પાનનો 20 મિલી રસ પીવો જોઇએ. . બેલના પાનને પીસીને ગાળી લો અને પછી આ રસને ચપટી મીઠું અને  મરીના પાવડર સાથે પીવો.
  • દિવસમાં એકવાર મેથીની ચા પીવો અથવા મેથી પાવડરનો ઉપયોગ કરો. મેથીના દાણાને પીસીને તૈયાર કરેલું પાવડર દરરોજ સવારે પાણી સાથે લો. પરંતુ એક સમયે 6 મહિનાથી વધુ સમય સુધી તેનું સેવન ન કરવું જોઈએ.
  • દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાનને ચાવવાથી પણ બ્લડ સુગર નિયંત્રિત રહે છે. સુગરને કંટ્રોલ કરવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આ એક વર્ષો જૂનો ઉપાય છે.
  • શિલાજીતનો ઉપયોગ ન માત્ર જાતીય શક્તિ વધારવા માટે થાય છે, પરંતુ તમે તેનો ઉપયોગ સુગરને નિયંત્રિત કરવા માટે પણ કરી શકો છો. શિલાજીતનો ઉપયોગ ચૂર્ણ અથવા કેપ્સ્યુલ, ટેબ્લેટ સ્વરૂપમાં કરી શકાય છે.
  • હળદર પાવડરનું દૂધ સાથે નિયમિત સેવન કરવાથી ન માત્ર તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પરંતુ તે તમને ડાયાબિટીસની ખરાબ અસરોથી પણ બચાવે છે.
  • અડધી ચમચી ત્રિફળાનું ચૂર્ણ દિવસમાં બે વખત ગરમ પાણી સાથે લેવું. સવારે નાસ્તા પછી અને રાત્રે જમ્યા પછી તેનું સેવન કરી શકાય છે.
  • તમે કારેલાનો રસ પીવાથી તમારી વધેલા સુગર લેવલને ઘટાડી શકો છો. તે તમારા જીવનને સ્વસ્થ અને સુખી બનાવવામાં મદદ કરે છે.

શુગરને કંટ્રોલ કરવા માટે અહીં જણાવેલા તમામ ઉપાયો, તે બધા ખૂબ જ અસરકારક છે. પરંતુ તમારે હંમેશા અનુભવી આયુર્વેદિક ડૉક્ટરની દેખરેખ હેઠળ તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિના શરીરને અલગ-અલગ માત્રામાં દવાની જરૂર પડે છે. યોગ્ય માત્રામાં ન લેવાથી અને યોગ્ય રીતે દવા ન લેવાથી નુકસાન થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Embed widget