![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત
મકાઈ ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે, પરંતુ ઘણા લોકો તેને ખાધા પછી પાણી પીવું કે નહીં તે અંગે મૂંઝવણમાં રહે છે.
![મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત why you should not drink water after eating corn મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/032604f6a2d148dcac8f3770dbffe17a172019944296878_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મકાઈ ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે, પરંતુ ઘણા લોકો તેને ખાધા પછી પાણી પીવું કે નહીં તે અંગે મૂંઝવણમાં રહે છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન બી12 વગેરે ભરપૂર માત્રામાં હોય છે. તો કોઈ પણ વિલંબ કર્યા વિના, ચાલો આ લેખમાં જાણીએ કે શા માટે મકાઈ ખાધા પછી તરત જ પાણી ન પીવુ જોઈએ.
ચોમાસાની સિઝનમાં ગરમાગરમ મકાઈ ખાવાનો એક અલગ જ આનંદ છે. ભુટ્ટાને મકાઈ અને સ્વીટ કોર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મકાઈ માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે.
ડોકટરોના મતે, મકાઈ ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી પાચન સંબંધી વિવિધ સમસ્યાઓ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, મકાઈમાં રહેલા કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને સ્ટાર્ચને કારણે તેનું સેવન કર્યા પછી તરત જ પાણી પીવાથી પેટમાં દુખાવો થઈ શકે છે, જ્યારે તમે કબજિયાત જેવી સમસ્યાથી પરેશાન છો તો આવું કરવું તમારા માટે બિલકુલ યોગ્ય નથી. કારણ કે તેનાથી સમસ્યા વધી શકે છે. એવું પણ કહેવાય છે કે મકાઈ ખાધા પછી તરત જ પાણી પીવાથી તમે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, મકાઈ ખાધા બાદ પાણી પીવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.
મકાઈ ખાધા પછી, તમારે પાણી પીવા માટે ઓછામાં ઓછી 45-60 મિનિટ રાહ જોવી જોઈએ. આ સિવાય જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તેના પર લીંબુનો રસ લગાવીને મકાઈ ખાઈ શકો છો, કારણ કે આમ કરવાથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યા થતી નથી. આ સિવાય તેને ગરમ કરીને ખાવાનો પ્રયત્ન કરો અને તેને તાજી શેકેલી અથવા બાફેલી હોવી જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખીને તમે પાચન પ્રક્રિયાને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવી શકો છો. મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મકાઈ ખાવાથી શરીરમાં અનેક સમસ્યાઓ દૂર થાય છે. તેમાં વિટમિન અને ઘણા પોષક તત્વો હોય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)