શોધખોળ કરો

Capsule Cover: આ કેમિકલથી બને છે દવાના કેપ્સૂલનું કવર, પેટમાં જઇને શું થાય છે તેનું?

આજે અમે તમને એવા કેમિકલ વિશે જણાવીશું જેનાથી દવાઓની ઉપર કેપ્સૂલનું કવર બનાવવામા આવે છે

હવામાનમાં ફેરફારની સાથે જ અમદાવાદ સહિતના અનેક શહેરોમાં શરદી, ઉધરસ અને તાવની સમસ્યા વધવા લાગી છે. આ સમય દરમિયાન મોટાભાગના લોકો લોહીની તપાસ કરાવે છે અને ડોકટરો પાસેથી દવાઓ લે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે દવાઓની કેપ્સૂલ પર કવર હોય છે. આજે અમે તમને એવા કેમિકલ વિશે જણાવીશું જેનાથી દવાઓની ઉપર કેપ્સૂલનું કવર બનાવવામા આવે છે જે પેટમાં ગયા બાદ ઓગળી જાય છે.

આવા હોય છે કેપ્સૂલ કવર

બજારમાં અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. આમાં કેપ્સૂલ કવર વડે બંધ રહે છે. કેટલાક કેપ્સૂલના કવર એટલા પારદર્શક હોય છે કે તેમની અંદર રહેલા પદાર્થો પણ દેખાય છે. શું તમે જાણો છો કે આ દવાઓ કેવી રીતે બને છે અને આ કવર કયા કેમિકલથી બને છે?

નોંધનીય છે કે આ પ્રકારની કેપ્સૂલમાં દવાઓને પીસીને તેનો પાવડર ભરવામાં આવે છે. કેપ્સૂલ બનાવવાની આ પદ્ધતિને ઇનકૈપ્સ્યુલેશન કહેવામાં આવે છે. હવે પ્રશ્ન ફરી એ જ છે કે આ પ્લાસ્ટિક જેવું દેખાતું કવર કઈ સામગ્રીથી બનેલું છે અને કેટલું સલામત છે? ઘણી વખત લોકો આ કવરના ભાગને પ્લાસ્ટિકનો બનેલો માને છે, જો કે આ કવર જિલેટીનથી બનેલું હોય છે.

કેપ્સૂલ કવર કેવી રીતે બને છે?

કેપ્સૂલમાં હાજર દવાની સામગ્રી વિશેની માહિતી પેકેટ અથવા બોક્સ પર આપવામાં આવે છે. જો કે, ઘણી કંપનીઓ બોક્સ પર ઉલ્લેખ કરતી નથી કે કેપ્સૂલ કવર 'જિલેટીન'થી બનેલું છે. હવે પ્રશ્ન એ છે કે જિલેટીન કેવી રીતે બને છે? મળતી માહિતી મુજબ જાનવરોના હાડકાં કે સ્કીનને ઉકાળીને જિલેટીન  બહાર કાઢવામાં આવે છે. આ પછી તેને પ્રોસેસ કરીને ચળકતી અને લવચીક બનાવવામાં આવે છે.

શું દરેક કેપ્સૂલનું કવર નોન-વેજ છે?

કેપ્સૂલ કવર બે પ્રકારના હોય છે. પહેલું હાર્ડ શેલ્ડ હોય છે તો બીજુ સોફ્ટ શેલ્ડ હોય છે. બંને પ્રકારના કેપ્સૂલ કવર પ્રાણીની સાથે સાથે છોડના પ્રવાહીમાંથી બનાવવામાં આવે છે જેમાં પ્રોટીન હોય છે. કેપ્સૂલના કવર પ્રાણીના પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે, જેને જિલેટીન કહેવામાં આવે છે. આમાં ચિકન, માછલી, ડુક્કર અને ગાયની સાથે સાથે અનેક પ્રજાતિના અન્ય પ્રાણીઓના હાડકાં કે ચામડીને ઉકાળીને બહાર કાઢવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર જિલેટીન આધારિત કેપ્સૂલના વધુ પડતા ઉપયોગથી કિડની અને લીવરને નુકસાન થઈ શકે છે. પ્રોટીનયુક્ત છોડના પ્રવાહીમાંથી બનેલા કેપ્સૂલ કવરને સેલ્યુલોઝ કહેવામાં આવે છે. આ સંપૂર્ણપણે કુદરતી છે. આ પ્રકારની કેપ્સૂલ આપણી પાચન તંત્ર દ્વારા સરળતાથી પચી જાય છે. મોટાભાગના કેપ્સૂલ કવર આ પ્રક્રિયા હેઠળ બનાવવામાં આવે છે.

આ રીતે કેપ અને કન્ટેનર બનાવવામાં આવે છે

આ સિવાય કેપ્સૂલ બનાવવામાં માત્ર જિલેટીન અથવા સેલ્યુલોઝ કવરનો ઉપયોગ કરવામાં આવે છે. દવાને ગ્રાઈન્ડ કરીને આ કવરમાં ભરવામાં આવે છે. કેપ્સૂલ કવર બે અલગ અલગ રંગોથી બનેલું છે. એક ભાગને કન્ટેનર કહેવાય છે, તેમાં દવા ભરવામાં આવે છે. બીજા ભાગને કેપ કહેવામાં આવે છે, જેના દ્વારા કેપ્સૂલ બંધ થાય છે. મળતી માહિતી મુજબ, કેપ અને કન્ટેનરનો રંગ અલગ-અલગ રાખવામાં આવ્યો છે જેથી કેપ્સૂલ બનાવતી વખતે કર્મચારીઓની ભૂલનો અવકાશ રહે નહીં.

 

ટોપ સ્ટોરી

1 મહિનો ખાંડ છોડવાથી શરીરમાં શું ફેરફાર થાય? જાણો વજન અને એનર્જી પર થતી આશ્ચર્યજનક અસરો
1 મહિનો ખાંડ છોડવાથી શરીરમાં શું ફેરફાર થાય? જાણો વજન અને એનર્જી પર થતી આશ્ચર્યજનક અસરો
ડાયાબિટીસની શરુઆતમાં જોવા મળે છે આ લક્ષણો, સમયસર ઓળખો
ડાયાબિટીસની શરુઆતમાં જોવા મળે છે આ લક્ષણો, સમયસર ઓળખો
Painkillers: પેઇન કિલરને કેવી રીતે ખબર પડે છે કે શરીરમાં ક્યાં થઈ રહ્યો છે દુખાવો? જાણો સત્ય
Painkillers: પેઇન કિલરને કેવી રીતે ખબર પડે છે કે શરીરમાં ક્યાં થઈ રહ્યો છે દુખાવો? જાણો સત્ય
મોંઘી ખાંડ વચ્ચે મુંઝવણ: ડાયાબિટીસના દર્દી માટે મહિનામાં કેટલી ખાંડ જરૂરી? સમજો ગણતરી
મોંઘી ખાંડ વચ્ચે મુંઝવણ: ડાયાબિટીસના દર્દી માટે મહિનામાં કેટલી ખાંડ જરૂરી? સમજો ગણતરી

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Embed widget