શોધખોળ કરો
મહેસાણામાં પાટીદારો સામે સરકાર ઘૂંટણિયેઃ કેતન અપમૃત્યુ કેસમાં એક પોલીસ સહિત બેની ધરપકડ, જાણો કોણ થયા જેલભેગા?
1/5

મહેસાણાઃ મહેસાણામાં પાટીદાર યુવાન સ્વ. કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ મામલે આખરે સરકારે પાટીદારો સામે ઝૂકવું પડ્યું છે અને આ કેસમાં બે વ્યક્તિની ધરપકડ કરાઈ છે. પોલીસે આજે સવારે હેડ કૉંસ્ટેબલ ચિરાગ પરમાર અને દુકાનદાર ભરત બારોટની ધરપકડ કરી હતી. બંનેને આજે કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ માગવામાં આવશે.
2/5

મૃતક કેતન પટેલના પિતા મહેન્દ્રભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદના પગલે સોમવારે મધરાત્રે પોલીસે હેડ કોન્સ્ટેબલ ચિરાગ પરમાર, કેતન સામે ચોરીની ફરિયાદ કરનાર પાર્લર માલિક ભરત બ્રહ્મભટ્ટ સહિતના જવાબદારો સામે ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ ડીવાયએસપી રાજેશ ગઢિયાને સોંપાઇ છે.
Published at : 13 Jun 2017 09:30 AM (IST)
View More























