શોધખોળ કરો

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સાંજે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. પીએમ 18મીએ સવારે ગાંધીનગરથી પાવાગઢ જવા રવાના થશે

PM Modi Gujarat visit: પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સાંજે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. રાત્રે અથવા 18મી વહેલી સવારે વડાપ્રધાન મોદી તેમના માતા હીરાબાને મળવા માટે જશે. 18 જૂને હીરાબાના 100 વર્ષ પુરા થશે. જેને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ 18મીએ સવારે 8 વાગ્યે હેલિપેડ ગાંધીનગરથી પાવાગઢ જવા રવાના થશે. પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે. બાદમાં વડોદરા ખાતે જનસભાને સંબોધન કરશે.

 

પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

આ ઉપરાંત 18 તારીખે વડોદરાથી પ્રધાનમંત્રી મોદી સુરત અને ઉધના રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરશે. સુરત રેલવે સ્ટેશન 1100 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. 1100 કરોડમાંથી રેલવે 800 કરોડ જ્યારે ગુજરાત સરકાર 300 કરોડ આપશે. જ્યારે ઉધના 212 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. સુરત ઉધના સ્ટેશન માટે ટેન્ડરની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે.

તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્ત માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે આખરી ઓપ આપ્યો છે. 5000 પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડેપગ રહેશે. બે હજાર મહિલા પોલીસ ઉપરાંત બહારના બે હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે તૈનાત રહશે. 20 આઇપીએસ, 35 ડીવાયએસપી,100 પીઆઇ બંદોબસ્તમાં તૈનાત રહશે. એસઆરપીની પાંચ કંપની પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 12 ઘોડેસવાર, એનએસજી કમાન્ડો સાથે ચેતક કમાન્ડો અને ક્રાઇમ બાન્ચ, એસઓજી, પીસીબીની ટિમો પણ હાજર રહશે. એસપીજીએ સભા સ્થળ અને રૂટનું નિરીક્ષણ કરી શહેર પોલીસના બંદોબસ્તની વિગતો મેળવી હતી. બૉમ્બ સ્કવોડની 10 ટિમો દ્વારા સભા સ્થળે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

પીએમ મોદીના માતાના શતાયુ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. વડનગરના હાટકેશ્વર મંદિર અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદીના પરિવાર દ્વારા જગન્નાથ મંદિરમાં વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. કાળી રોટી ધોળી દાળના ભંડારાનું મંદિરમાં આયોજન કરાયું છે. હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવશે. ભગવાન જગન્નાથજી મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
Embed widget