શોધખોળ કરો

PM Modi Gujarat visit: PM મોદી દિલ્લી જવા રવાના, એક બાદ એક મેરેથોન બેઠકમાં જાણો શું કરી ચર્ચાં?

PM Modi Gujarat visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી જવા રવાના થયા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા.. આજે બીજા દિવસે પ્રધાનમંત્રીએ રાજભવનમાં સળંગ બેઠકો યોજી હતી.

PM Modi Gujarat visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી જવા રવાના થયા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા.. આજે બીજા દિવસે પ્રધાનમંત્રીએ રાજભવનમાં સળંગ બેઠકો યોજી હતી. રાજકીય બાબતો અંગે સરકાર અને સંગઠનની બાબતે ચર્ચા માટે એક બેઠક યોજી હતી. તો બીજી બેઠક રાજ્યના આર્થિક રોડમેપ અંગે ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બંને બેઠકોને લઈ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

રાજભવન પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક કરી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી રાજભવન પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક કરી હતી. આ બેઠકમાં રાજકીય ચર્ચા કરવામાં આવી હતી. પરિણામે આ બેઠકમાં સરકાર અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ અને ગુજરાત ભાજપના સંગઠનના મહામંત્રી રત્નાકર હાજર હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ ત્રણેય નેતાઓ સાથે પ્રધાનમંત્રીએ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ, સંગઠનમાં ફેરફાર અંગે, મંત્રીમંડળના વિસ્તરણ અંગે, સંસદીય સચિવોની નિમણૂકો અંગે ચર્ચા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

 

પ્રધાનમંત્રીએ મોદીએ ત્રણેય નેતાઓ સાથે દોઢ કલાક ચર્ચા કરી હતી

આ ઉપરાંત લોકસભાની આગામી ચૂંટણીના પ્રચાર અને ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી પીએમને મળવા ગયા ત્યારે બોર્ડ અને નિગમોની નિમણૂક અંગે ચર્ચા થઈ હતી. આ બાબતે આજે મળેલી બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત ભુપેન્દ્ર પટેલની નવી સરકાર 100 દિવસ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે આ સમય દરમિયાન સરકારના વિવિધ વિભાગોમાં થયેલા અને થનારા કામોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વિધાનસભાની ચુંટણી સમયે ગુજરાતની જનતાને આપેલા વચનો પૈકી કેટલા કર્યો શરૂ થયા અને કેટલા કમો ક્યારે શરૂ થશે તે અંગેની ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રધાનમંત્રીએ મોદીએ ત્રણેય નેતાઓ સાથે રાજભવન ખાતે સમગ્ર વિષય સંદર્ભે અંદાજિત દોઢ કલાક ચર્ચા કરી હતી.

રાજકીય મુદ્દે ચર્ચા પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ અંગે રાજ્યના સિનિયર આઇએએસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકની અંદર મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, હારીત શુક્લા, આઈબીના ચીફ અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક અંદાજિત 3 કલાક સુધી ચાલી હતી. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મેટ્રો રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ધોલેરા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વેદાંતા કંપની દેશનો સૌથી મોટો સેમીકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરામાં સ્થાપી રહી છે. ધોલેરા એરપોર્ટનું કામ 70 ટકા જેટલું પૂર્ણ થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત રાજકોટમાં બની રહેલી એમ્સની પણ સમીક્ષા કરાઈ હોવાની ચર્ચા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Embed widget