શોધખોળ કરો

કેમ્પ હનુમાન મંદિરમાં ટ્રસ્ટીઓએ પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો, ભક્તો થયા નારાજ

નોંધનીય છે કે, બાર વર્ષ પહેલાં પણ કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ બંધ કરાયો હતો. ભક્તોના વિરોધ બાદ ૧૨ વર્ષ પહેલાં ફરી પ્રસાદ શરૂ કરવાની ફરજ પડી હતી.

Camp Hanumanji Mandir: શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરમાં અચાનક પ્રસાદ બંધ કરી દેવાતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મંગળવારે ટ્રસ્ટીઓએ પ્રતિબંધ ફરમાવાતા દર્શનાર્થીઓને મુખ્ય દરવાજા બહાર પ્રસાદ મૂકી દર્શન કરવા જવું પડ્યું હતું. આ જોઈને ભક્તોમાં નારાજગી જોવા મળી હતી અને સવાલ પૂછ્યા હતા કે શા માટે પ્રસાદ બંધ કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર સિક્યોરિટી કર્મચારીઓએ કહ્યું કે, ટ્રસ્ટીઓના કહેવાથી પ્રસાદ બંધ કરી દેવાયો છે. જ્યારે ટ્રસ્ટીઓએ કહ્યું કે, સુરક્ષાના કારણોસર પ્રસાદ બંધ કરાયો હતો.

કેમ્પ હનુમાન મંદિર તરફથી ઘીના મગસના લાડુનો પ્રસાદ અપાતો હતો, જેનો સ્વાદ એકધારો રહેતો હતો, જેથી મંગળવાર અને શનિવાર સિવાયના દિવસોમાં પણ પ્રસાદની માગ રહેતી હતી. જોકે કોરોનાનું બહાનું કરીને મગસના લાડુનો પ્રસાદ બંધ કરી દેવાયો હતો. બાદમાં કોરોનાનો કહેર હળવો થયા બાદ ફરીથી મંદિર તરફથી પ્રસાદ શરૂ કર્યો ન હતો પણ બહારથી પ્રસાદ લઈ જવાની મંજૂરી આપી હતી.

નોંધનીય છે કે, બાર વર્ષ પહેલાં પણ કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ બંધ કરાયો હતો. ભક્તોના વિરોધ બાદ ૧૨ વર્ષ પહેલાં ફરી પ્રસાદ શરૂ કરવાની ફરજ પડી હતી.

અમદાવાદ શહેરમાં હનુમાનજીનાં બે મોટાં મંદિરો આવેલાં છે, જેમાં સાંરગપુર હનુમાન મંદિર અને બીજું કેમ્પ હનુમાન મંદિર છે. કેમ્પ હનુમાન મંદિર ભારતના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક ગણાય છે. આ મંદિરનું બાંધકામ 100 વર્ષ પહેલાં પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું છે. અંગ્રેજોના સમયથી બાંધવામાં આવેલા આ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે લોકો આ મંદિરની મુલાકાત લેવા માટે આવતા હોય છે. 100 વર્ષ જૂના આ મંદિરના પ્રાગટ્ય અને હનુમાનજીની મૂર્તિને અનુલક્ષીને કેટલાંક દૃષ્ટાંતોનો ઉલ્લેખ પુસ્તકોમાં જોવા મળે છે.

અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતું હતું. અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણું સ્થાપ્યું. મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી. એક અંગ્રેજ અમલદારે મંદિરના પૂજારીઓને મંદિર ખસેડવાની વાત કરી પણ ભક્તોએ અને પૂજારીઓએ ઈનકાર કર્યો. અમદાવાદના વિકાસ પહેલાં પણ હજારો ભક્તો પ્રભુને સાચા દિલથી પ્રાર્થના, અરજ કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરતા હતા અને આજે પણ સર્વેની મનોકામના પ્રભુ તેમના પુરુષાર્થી ભાવિકને સફળતા જ બક્ષે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
Embed widget