શોધખોળ કરો

કેમ્પ હનુમાન મંદિરમાં ટ્રસ્ટીઓએ પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો, ભક્તો થયા નારાજ

નોંધનીય છે કે, બાર વર્ષ પહેલાં પણ કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ બંધ કરાયો હતો. ભક્તોના વિરોધ બાદ ૧૨ વર્ષ પહેલાં ફરી પ્રસાદ શરૂ કરવાની ફરજ પડી હતી.

Camp Hanumanji Mandir: શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરમાં અચાનક પ્રસાદ બંધ કરી દેવાતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મંગળવારે ટ્રસ્ટીઓએ પ્રતિબંધ ફરમાવાતા દર્શનાર્થીઓને મુખ્ય દરવાજા બહાર પ્રસાદ મૂકી દર્શન કરવા જવું પડ્યું હતું. આ જોઈને ભક્તોમાં નારાજગી જોવા મળી હતી અને સવાલ પૂછ્યા હતા કે શા માટે પ્રસાદ બંધ કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર સિક્યોરિટી કર્મચારીઓએ કહ્યું કે, ટ્રસ્ટીઓના કહેવાથી પ્રસાદ બંધ કરી દેવાયો છે. જ્યારે ટ્રસ્ટીઓએ કહ્યું કે, સુરક્ષાના કારણોસર પ્રસાદ બંધ કરાયો હતો.

કેમ્પ હનુમાન મંદિર તરફથી ઘીના મગસના લાડુનો પ્રસાદ અપાતો હતો, જેનો સ્વાદ એકધારો રહેતો હતો, જેથી મંગળવાર અને શનિવાર સિવાયના દિવસોમાં પણ પ્રસાદની માગ રહેતી હતી. જોકે કોરોનાનું બહાનું કરીને મગસના લાડુનો પ્રસાદ બંધ કરી દેવાયો હતો. બાદમાં કોરોનાનો કહેર હળવો થયા બાદ ફરીથી મંદિર તરફથી પ્રસાદ શરૂ કર્યો ન હતો પણ બહારથી પ્રસાદ લઈ જવાની મંજૂરી આપી હતી.

નોંધનીય છે કે, બાર વર્ષ પહેલાં પણ કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ બંધ કરાયો હતો. ભક્તોના વિરોધ બાદ ૧૨ વર્ષ પહેલાં ફરી પ્રસાદ શરૂ કરવાની ફરજ પડી હતી.

અમદાવાદ શહેરમાં હનુમાનજીનાં બે મોટાં મંદિરો આવેલાં છે, જેમાં સાંરગપુર હનુમાન મંદિર અને બીજું કેમ્પ હનુમાન મંદિર છે. કેમ્પ હનુમાન મંદિર ભારતના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક ગણાય છે. આ મંદિરનું બાંધકામ 100 વર્ષ પહેલાં પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું છે. અંગ્રેજોના સમયથી બાંધવામાં આવેલા આ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે લોકો આ મંદિરની મુલાકાત લેવા માટે આવતા હોય છે. 100 વર્ષ જૂના આ મંદિરના પ્રાગટ્ય અને હનુમાનજીની મૂર્તિને અનુલક્ષીને કેટલાંક દૃષ્ટાંતોનો ઉલ્લેખ પુસ્તકોમાં જોવા મળે છે.

અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતું હતું. અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણું સ્થાપ્યું. મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી. એક અંગ્રેજ અમલદારે મંદિરના પૂજારીઓને મંદિર ખસેડવાની વાત કરી પણ ભક્તોએ અને પૂજારીઓએ ઈનકાર કર્યો. અમદાવાદના વિકાસ પહેલાં પણ હજારો ભક્તો પ્રભુને સાચા દિલથી પ્રાર્થના, અરજ કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરતા હતા અને આજે પણ સર્વેની મનોકામના પ્રભુ તેમના પુરુષાર્થી ભાવિકને સફળતા જ બક્ષે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget