શોધખોળ કરો

કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરમાં પીવાના પીણીની સમસ્યા, શહેરમાં ચાલી રહ્યું છે ટેન્કર રાજ, લોકો ત્રાહિમામ

ભાવનગર શહેરમાં વિકટ સમસ્યા બનીને ઊભી થઈ છે. જેનો કોઈ અંત આવી રહ્યો નથી જેના કારણે વિવિધ વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થઈ ચૂક્યા છે.

ભાવનગર : ભાવનગર શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.  રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી પીવાના પાણીની સમસ્યા દૂર કરવા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓએ પાણીની જેમ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા અને ઘરે ઘરે નળ કનેક્શન પણ આપી દીધા પરંતુ આજે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે નળની અંદર પાણીનું એક ટીપું પણ આવતું નથી.  આ પરિસ્થિતિ ભાવનગર શહેરમાં વિકટ સમસ્યા બનીને ઊભી થઈ છે. જેનો કોઈ અંત આવી રહ્યો નથી જેના કારણે વિવિધ વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થઈ ચૂક્યા છે.  એક મહિનામાં હજારથી વધુ ટેન્કરો દોડાવવામાં આવ્યા છે જોકે આ બાબતે એબીપી અસ્મિતા દ્વારા મેયર, ચેરમેન અને જવાબદાર અધિકારીનું નિવેદન લેવાનો રૂબરૂ પ્રયાસ કર્યો પરંતુ પીવાના પાણીના પ્રશ્ન બાબતે કોઈ બોલવા પણ તૈયાર નથી આ પ્રશ્નથી નેતા અને અધિકારીઓ ભાગી રહ્યા છે.


કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરમાં પીવાના પીણીની સમસ્યા, શહેરમાં ચાલી રહ્યું છે ટેન્કર રાજ, લોકો ત્રાહિમામ

પ્રજાની સુખાકારી માટે રાજ્યની સરકાર વિવિધ ટેક્સો ઉઘરાવતી હોય છે. સાથે જ મહાનગરપાલિકા પણ સુવિધાઓ આપવા માટે વિવિધ વેરા વસુલે છે પરંતુ પ્રજા સુધી આ પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભાવનગર મહાનગરપાલિકા નિષ્ફળ ગયું હોય તે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા 1 લાખ 60 હજાર જેટલા નળ કનેક્શન ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં મહાનગરપાલિકાના નળની અંદર પાણી નહીં પણ માત્ર હવા જ આવે છે.  જેની વારંવાર ભાવનગરની જનતાએ રજૂઆત કરતી હોય છે પરંતુ અધિકારી અને રાજકીય પક્ષના નેતાને આ બાબતે કોઈ પડી જ નથી તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.


કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરમાં પીવાના પીણીની સમસ્યા, શહેરમાં ચાલી રહ્યું છે ટેન્કર રાજ, લોકો ત્રાહિમામ

ભાવનગરમાં ફરી એક વખત ટેન્કર રાજ શરૂ થતા એબીપી અસ્મિતા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના જોગીવાડ વિસ્તાર, હિલ્ પાર્ક 1 અને 2,  ચિત્રા વિસ્તાર,  ફુલસર વિસ્તાર,  નારી ગામ, કુંભારવાડા,બોરતળાવ સહિતના અન્ય વિસ્તારોમાં મહાનગરપાલિકા રોજ ટેન્કરો દ્વારા પીવાનું પાણી મોકલી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે નળ કનેક્શન શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. પાંચ સાત વર્ષથી નળમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી.  આ બાબતે એબીપી અસ્મિતા દ્વારા ભાવનગરના મેયર તેમજ ચેરમેન સાથે જ વોટરવર્ક વિભાગના અધિકારીનો રૂબરૂ સંપર્ક કર્યો હતો પરંતુ આ બાબતે બોલવા માટે પણ તેઓ ઇન્કાર કરી રહ્યા છે ત્યારે ભાવનગરમાં ઉનાળાના કપરા દિવસોની અંદર દર વર્ષની જેમ પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ રહી છે. 

ભાવનગરમાં નબળી નેતાગીરીના કારણે ટેન્કર રાજ હજી પણ શરૂ છે એની પાછળનું કારણ એ છે કે ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીનું મિસ પ્લાનિંગના કારણે શહેરમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ 30 વર્ષ પછી પણ લાવી શકી નથી. હાલ મહાનગરપાલિકાનું તંત્ર પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકી રહી હોય તેમ પ્રજાના પૈસાનો પણ વેડફાટ કરે છે અને પાણીના સંગ્રહ માટે કોઈ આયોજન પણ કરી રહી નથી.  

હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મનપા 70 થી 75 એમએલડી પાણી ખરીદી રહી છે જેનો મહિનાનો ખર્ચ 1 કરોડ અને 20 લાખ રૂપિયા જેવો થાય છે. આ સાથે જ શેત્રુંજી ડેમમાંથી 90 થી 95 એમએલડી પાણીની ખરીદી કરવામાં આવી રહી છે જેનો ખર્ચ 1 કરોડ અને 40 લાખ રૂપિયા જેવો થાય છે.  આમ મહાનગરપાલિકાનું તંત્ર દર મહિને 2 કરોડ અને 60 લાખ રૂપિયા પાણીની માફક પાણી વિતરણ પાછળ કોઈ આયોજન વગર કે કોઈ પ્લાનિંગ વગર વેડફાટ કરી રહી છે જેનો બોજ ભાવનગરની જનતા ભોગવી રહી છે.


કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરમાં પીવાના પીણીની સમસ્યા, શહેરમાં ચાલી રહ્યું છે ટેન્કર રાજ, લોકો ત્રાહિમામ

બીજી તરફ ભાવનગરમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે નર્મદાના નીર સૌની યોજના થકી 160 કરોડ રૂપિયાના ખર્ચે પહોંચાડવામાં આવ્યા છે પરંતુ ભાવનગરની જનતાને તેનો એક પણ વખત લાભ મળ્યો નથી. પાંચ વર્ષ પહેલા નાખવામાં આવેલી સૌની યોજનાની લાઇન એક પણ વખત શરૂ કરવામાં આવી નથી. જ્યારે બીજી બાજુ સરકાર મહાનગરપાલિકાના સહયોગથી ભાવનગરના 13 બોર્ડ માં અલગ અલગ અમૃત સરોવરો બનાવ્યા છે પરંતુ આ સરોવર પણ ખાલી ખમ છે ત્યારે સવાલ એ વાતનો કહે કે ભાજપનું 25 વર્ષથી એક તરફી શાસન રહ્યું હોવા છતાં પાણીની સમસ્યા ભાવનગરમાં દૂર કરી શકતો નથી તેના કારણે ટેન્કરો રોડ પર દોડાવા પડી રહ્યા છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget