શોધખોળ કરો
મહારાષ્ટ્રના સાંગલીમાં બોટ પલટી જતા 9નાં મોત, 16 લોકોનું રેસ્ક્યૂ
મહારાષ્ટ્રમાં પૂરના કારણે સ્થિતિ વિકરાળ બનતી જઈ રહી છે. પૂરના કારણો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહારાષ્ટ્રના 204 ગામ અને 11 હજાર પરિવાર પૂરથી પ્રભાવિત છે.

સાંગલી: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક બોટ પલટી જતા 9 લોકોના મોત થયા છે. પલુસ બ્લોકના ભામનાલ પાસે ગુરુવારે થયેલી આ ઘટના દરમિયાન બોટમાં 27 થી 30 ગ્રામજનો સવાર હતા. તંત્રએ 16 લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. ઘટના એ સમયે બની હતી જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં હતા. મહારાષ્ટ્રમાં પૂરના કારણે સ્થિતિ વિકરાળ બનતી જઈ રહી છે. પૂરના કારણો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રક્ષા મંત્રાલયનું કહેવું છે કે સતત વરસાદના અને જળાશયોમાં પાણી છોડવાના કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બન્ને રાજ્યોમાં તંત્ર રેસ્ક્યૂ ઑપરેશન ચલાવી રહ્યાં છે તેની સાથે સેના પણ મદદ કરી રહી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે પૂર અને વરસાદની સમસ્યાને જોતાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમના પ્રમાણે મહારાષ્ટ્રના 204 ગામ અને 11 હજાર પરિવાર પૂરથી પ્રભાવિત છે. જેના માટે રેસ્ક્યૂ ઓપરેશનમાં સેના, નૌસેના અને વાયુ સેનાની મદદ લેવામાં આવી રહી છે.National Disaster Response Force (NDRF) teams continue rescue operations in flood-affected Satara district. #maharashtrafloods pic.twitter.com/SyFpRiD1VL
— ANI (@ANI) August 8, 2019
વધુ વાંચો























