શોધખોળ કરો

લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશમાં ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂપિયાની ચલણી નોટોને લઈને એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દેશમાં ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂપિયાની ચલણી નોટોને લઈને એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે. આ ચલણી નોટો ગયા વર્ષે મે મહિનામાં ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી બજારમાં રહેલી 100 ટકા નોટો પરત આવી નથી. 1લી જુલાઈ 2024ના રોજ આ સંબંધમાં વિગતો શેર કરતી વખતે જુલાઈના પ્રથમ દિવસે આરબીઆઈએ જણાવ્યું હતું કે દેશમાં હજુ પણ લોકો પાસે  7000 કરોડથી વધુની કિંમતની 2000 રૂપિયાની નોટ છે.

બજારમાં હજુ પણ બચ્યા છે 7581 કરોડ રૂપિયા

પીટીઆઈના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બેન્ક દ્વારા સોમવારે 2000 રૂપિયાની નોટ પરત કરવા પર આપવામાં આવેલા આંકડા અનુસાર, આ ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાયા બાદ અત્યાર સુધીમાં માત્ર 97.87 ટકા નોટો જ બેંકિંગ પ્રક્રિયામાં પરત આવી છે જ્યારે 2.13 ટકા નોટ લોકો પાસે છે. આ બે ટકાથી વધુ નોટની કિંમત 7,581 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ગયા વર્ષે 19 મે, 2023ના રોજ જ્યારે ભારતીય રિઝર્વ બેન્કે ચલણમાંથી 2,000 રૂપિયાની ચલણી નોટ પરત ખેંચવાની જાહેરાત કરી હતી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2,000ની નોટ હતી જ્યારે 29 ડિસેમ્બર, 2023ના રોજ આ આંકડો ઘટીને માત્ર 9,330 કરોડ થયો હતો. આ પછી નોટો પાછી ખેંચવાની ગતિ થોડી ધીમી પડી અને હજુ 7,581 કરોડ રૂપિયાની નોટ પરત આવી નથી

ક્લીન નોટ પોલિસી હેઠળ કરાઇ બંધ

ક્લીન નોટ પોલિસી હેઠળ રિઝર્વ બેન્કે 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્રીય બેન્કે સ્થાનિક બેન્કો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટ પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે ત્યારબાદ આ સમયમર્યાદા સતત લંબાતી રહી છે.

તમે હજુ પણ 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો

તમે હજુ પણ બે હજાર રૂપિયાની ચલણી નોટ જમા કરાવી શકો છો. જોકે સ્થાનિક બેન્કોમાં આ કામ શક્ય નહીં બને. કેન્દ્રીય બેન્કે સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ જેવી 19 RBI ઓફિસમાં જમા કરવામાં આવશે.  ઉપરાંત, લોકો આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget