શોધખોળ કરો

લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશમાં ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂપિયાની ચલણી નોટોને લઈને એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દેશમાં ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂપિયાની ચલણી નોટોને લઈને એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે. આ ચલણી નોટો ગયા વર્ષે મે મહિનામાં ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી બજારમાં રહેલી 100 ટકા નોટો પરત આવી નથી. 1લી જુલાઈ 2024ના રોજ આ સંબંધમાં વિગતો શેર કરતી વખતે જુલાઈના પ્રથમ દિવસે આરબીઆઈએ જણાવ્યું હતું કે દેશમાં હજુ પણ લોકો પાસે  7000 કરોડથી વધુની કિંમતની 2000 રૂપિયાની નોટ છે.

બજારમાં હજુ પણ બચ્યા છે 7581 કરોડ રૂપિયા

પીટીઆઈના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બેન્ક દ્વારા સોમવારે 2000 રૂપિયાની નોટ પરત કરવા પર આપવામાં આવેલા આંકડા અનુસાર, આ ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાયા બાદ અત્યાર સુધીમાં માત્ર 97.87 ટકા નોટો જ બેંકિંગ પ્રક્રિયામાં પરત આવી છે જ્યારે 2.13 ટકા નોટ લોકો પાસે છે. આ બે ટકાથી વધુ નોટની કિંમત 7,581 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ગયા વર્ષે 19 મે, 2023ના રોજ જ્યારે ભારતીય રિઝર્વ બેન્કે ચલણમાંથી 2,000 રૂપિયાની ચલણી નોટ પરત ખેંચવાની જાહેરાત કરી હતી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2,000ની નોટ હતી જ્યારે 29 ડિસેમ્બર, 2023ના રોજ આ આંકડો ઘટીને માત્ર 9,330 કરોડ થયો હતો. આ પછી નોટો પાછી ખેંચવાની ગતિ થોડી ધીમી પડી અને હજુ 7,581 કરોડ રૂપિયાની નોટ પરત આવી નથી

ક્લીન નોટ પોલિસી હેઠળ કરાઇ બંધ

ક્લીન નોટ પોલિસી હેઠળ રિઝર્વ બેન્કે 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્રીય બેન્કે સ્થાનિક બેન્કો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટ પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે ત્યારબાદ આ સમયમર્યાદા સતત લંબાતી રહી છે.

તમે હજુ પણ 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો

તમે હજુ પણ બે હજાર રૂપિયાની ચલણી નોટ જમા કરાવી શકો છો. જોકે સ્થાનિક બેન્કોમાં આ કામ શક્ય નહીં બને. કેન્દ્રીય બેન્કે સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ જેવી 19 RBI ઓફિસમાં જમા કરવામાં આવશે.  ઉપરાંત, લોકો આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાંGandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીRajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Embed widget