Corona news update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા, તો 8 લોકોનાં મોત
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 63,610 કેસ છે. જે પૈકી 83 વેન્ટીલેટર પર છે, જ્યારે 63,527 નાગરિકો સ્ટેબલ છે

Background
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 63,610 કેસ છે. જે પૈકી 83 વેન્ટીલેટર પર છે, જ્યારે 63,527 નાગરિકો સ્ટેબલ છે
વડોદરામાં કોરોના કેસ વધતાં ટેસ્ટિંગ પણ વધ્યું , ગોત્રી હોસ્પિટલમાં RTPCR ટેસ્ટના 1500 રિપોર્ટ પેન્ડિંગ
રાજકોટ ભાજપના નેતા કશ્યપ શુક્લ કોરોનાથી સંક્રમિત થયા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીની પ્રચારમાં પણ કશ્યપ શુક્લ સંક્રમિત થયા હતા. .તેઓ બીજી વખત સંક્રમિત થયા છે. ..
વડોદરામાં કોરોના કેસ વધતાં ટેસ્ટિંગ પણ વધ્યું, ગોત્રી હોસ્પિટલમાં RTPCR ટેસ્ટના 1500 રિપોર્ટ પેન્ડિંગ , રોજ 500 સેમ્પલ ચકાસવા માત્ર 5 ટેકનીશિયન અને 3 ઓપરેટરનો સ્ટાફ હાજર છે. ભરતી કરેલો સ્ટાફ હાજર ન થતાં 8 લોકોને 16 કલાક કામ કરવું પડે છે.
સ્ટાફ ઓછો હોવાથી RTPCR ટેસ્ટના રિપોર્ટમાં વિંલંબ થઈ રહ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું મંદિર દર્શનાર્થીઓ માટે પોષી પૂનમના દિવસે રહેશે બંધ, ભક્તોને નહી મળે પ્રવેશ
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં પોષી પૂર્ણિમાએ ભક્તોએ બંધ દરવાજે ડાકોર ના ઠાકોરના દર્શન કર્યાં. કોરોનાની મહામારી ને લઈને મંદિર પ્રશાસન દ્વારા પોષી પૂર્ણિમા પૂરતું એક દિવસ મંદિર બંધ રાખવા નિર્ણય લીધો છે. આવતી કાલથી રાબેતા મુજબ ભક્તો કરી દર્શન
અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રહેશે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.





















