શોધખોળ કરો

ચેક આપતાં પહેલા નવા નિયમો રાખો ધ્યાનમાં, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

ચેક આપતા પહેલા તમારા બેંક એકાઉન્ટમાં પૂરતી રકમ હોય તે સુનિશ્ચિત કરી લો, નહીંતર તમારો ચેક બાઉંસ થશે. ચેક બાઉંસ થવા પર પેનલ્ટી ભરવી પડશે.

જો તમે ચેક દ્વારા પેમેન્ટ કરો છો તો ચેક આપતા પહેલા વધારે સાવધાની રાખજો. ભારતીય રિઝર્વ બેંકે 1 ઓગસ્ટથી બેંકિંગ નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે. કેન્દ્રીય બેંકે 24 કલાક બલ્ક ક્લિયરિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ફેંસલો લીધો છે. આ મહિનાથી નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ 24 કલાક કામ કરી રહ્યું છે.

એનએસીએચ તમામ દિવસ કામ કરી રહ્યું હોવાથી તમારે ચેકતી પેમેન્ટ કરતી વખતે વધારે સાવધાની રાખવાની જરૂર છે. કારણકે ચેક ક્લિયરિંગ હવે નોન વર્કિંગ ડે અને રજાના દિવસે પણ થઈ શકશે. તેથી ચેક આપતા પહેલા તમારા બેંક એકાઉન્ટમાં પૂરતી રકમ હોય તે સુનિશ્ચિત કરી લો, નહીંતર તમારો ચેક બાઉંસ થશે. ચેક બાઉંસ થવા પર પેનલ્ટી ભરવી પડશે.

એનએસીએચ શું છે

એનએસીએચ, નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત એક બલ્ક પેમેંટ સિસ્ટમ છે. જે ડિવિડંડ. વ્યાજ, પગાર અને પેંશનની ચુકવણી જેવી એકથી વધારે ક્રેડિટ ટ્રાંસફરની સુવિધા આપે છે. ઉપરાંત વીજળી, ગેસ, ટેલીફોન, પાણી, લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને વીમા પ્રીમિયર સંબંધિત ચૂકવણીના કલેકશનની સુવિધા પણ આપે છે.

વધારે રકમના ચેક માટે નવા પેમેંટ નિયમ

આરબીઆઈએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ચેક આધારિત લેણદેણની સેફ્ટી વધારવા માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી છે. જે અંતર્ગત 50 હજારથી વધારેની ચુકવણી માટે ડિટેલની ફરી પુષ્ટિ કરાવવી જરૂરી છે. આ પ્રક્રિયા અંતર્ગત ચેક જાહેર કનારા વ્યક્તિની ચેક સંબંધિત ડિટેલ ફરી આપવી પડે છે. તેમાં ચેક નંબર, ચેક ડેટ, ચેક રિસીવ કરનારનું નામ, એકાઉન્ટ નંબર, રકમ વગેરે સામેલ હોય છે.

ભારતીય રિઝર્વ બેંકે લોકોને જુની નોટો ખરીદવા અને વેચવાના નક્લી પ્રસ્તાવની ઝાળમાં ન ફસાવવા લોકોને આગ્રહ કર્યો છે. કેન્દ્રીય બેંકે એક નોટિફિકેશન દ્વારા લોકોને આ અપીલ કરી છે. આરબીઆઈએ નોટિફિકેશનમાં કહ્યું કે, કેટલાક તત્વો છેતરપિંડી માટે આરબીઆઈના નામ, લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. આવા તત્વો કમીશન, ટેક્સની માંગ કરી રહ્યા છે. ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી જુની નોટો અને સિક્કાની ખરીદી તથા વેચાણની બોગસ ઓફર આવામાં આવી રહી છે.આરબીઆઈએ જણાવ્યું કે, આ પ્રકારની લેણદેણમાં અમારી તરફથી કમીશન લેવા માટે કોઈ સંસ્થા, ફર્મ કે વ્યક્તિને નિમણૂક કરવામાં આવી નથી. કેન્દ્રીય બેંકે આ રીતે છેતરપિંડી કરનારા શખ્સોનો શિકાર ન બનવાની સલાહ આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget