શોધખોળ કરો

KYC એપડેટેડ નથી ને બેંકમાં મોટી રકમ પડી છે તો થઈ જાવ સાવધાન! વધી શકે છે મુશ્કેલી

KYC Update: નાણાકીય છેતરપિંડી અથવા અપરાધને રોકવાની સાથે, KYCને મની લોન્ડરિંગને રોકવા માટેના હથિયાર તરીકે જોવામાં આવે છે.

Know Your Customer: જો તમારા બેંક ખાતામાં બેંક બેલેન્સ તરીકે મોટી રકમ રાખવામાં આવી છે અને તમે તમારું KYC કર્યું નથી, તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. કેન્દ્ર સરકાર અને બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એવા ઓપરેટિવ ખાતાઓ પર નજર રાખી રહી છે કે જેમાં જંગી બેંક બેલેન્સ છે પરંતુ આ ખાતાધારકોએ હજુ સુધી તેમનું KYC કર્યું નથી. આ કવાયત દ્વારા, આ ખાતાઓને લઈને કોઈ જોખમ છે કે કેમ તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ખાતાઓ પર છે નજર

જ્યારે આ ખાતાઓમાં થયેલા વ્યવહારો તપાસ હેઠળ આવ્યા ત્યારે આ મુદ્દો ઉભો થયો હતો. ત્યારે ખબર પડી કે આ બેંક ખાતાઓની કેવાયસી કરવામાં આવી નથી. આ બેંક ખાતાઓ હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ (HNIs) ઉપરાંત ટ્રસ્ટ, એસોસિએશન, સોસાયટી અને ક્લબના છે.

જૂન 2023 સુધી KYC ફરજિયાત

આરબીઆઈએ તમામ બેંકોને જૂન 2023 સુધીમાં તેમના ખાતાધારકોના સમયાંતરે KYC અપડેટ પૂર્ણ કરવા સૂચના આપી છે. કોરોના રોગચાળાને કારણે, આરબીઆઈએ માર્ચ 2022 સુધી નોન-કેવાયસી સુસંગત ખાતાઓને ફ્રીઝ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ આ સમય મર્યાદા પૂરી થયા પછી, બેંકો દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં ખાતાધારકો તેમના KYC કરાવતા નથી. બેંકો આરબીઆઈને નોન-કેવાયસી એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે માર્ગદર્શિકા જારી કરવા માટે કહી શકે છે.

KYCની પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસો

નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે KYCની પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હાલમાં, નાણાપ્રધાને વન-સાઇઝ-ફિટ-ઑલ નિયમને બદલે જોખમ આધારિત અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો. નાણામંત્રીએ કહ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાણાકીય ક્ષેત્રના નિયમનકારોને એક સારી KYC સિસ્ટમને સંપૂર્ણપણે અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

સેન્ટ્રલ કેવાયસી માટેની તૈયારી!

બેંકિંગ સિસ્ટમમાં વિવિધ ઓળખ ધરાવતા બહુવિધ ખાતાઓને ટાળવા માટે કેન્દ્રીય KYC ફોર્મેટને વધુ મજબૂત કરવા બેંકો સતત RBI સાથે વાતચીત કરી રહી છે. તે જ સમયે, સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, બેન્કિંગ કંપની એક્ટ અને આરબીઆઈ એક્ટમાં સુધારો કરવા પર વિચાર કરી રહી છે, જેથી બેન્કોમાં ગવર્નન્સ સુધારવાની સાથે રોકાણકારોની સુરક્ષા વધારી શકાય. નાણાકીય છેતરપિંડી અથવા અપરાધને રોકવાની સાથે, મની લોન્ડરિંગને રોકવા માટે કેવાયસી જરૂરી માનવામાં આવે છે, જેનો ઉપયોગ વાસ્તવિક ખાતાધારકોને ઓળખવા માટે થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
Advertisement

વિડિઓઝ

Porbanadar Crime News: પાર્ટી પ્લોટમાં સગીરા પર ગેંગરેપ | Abp Asmita | 25-7-2025
Shravan Month 2025: શિવાલયોમાં ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ | Abp Asmita | 25-7-2025
Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
shravan 2025: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ
shravan 2025: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ
Embed widget