Microsoft: માઇક્રોસોફ્ટ 6000 કર્મચારીઓને બતાવશે બહારનો રસ્તો, કંપનીમાં અત્યાર સુધીની બીજી સૌથી મોટી છટણી
કંપની છટણીથી પ્રભાવિત કર્મચારીઓને બે વિકલ્પો પણ આપી રહી છે. આ પહેલા વર્ષ 2023માં માઇક્રોસોફ્ટે સૌથી મોટી છટણી કરી હતી

ટેક જાયન્ટ કંપની ગૂગલ પછી હવે માઇક્રોસોફ્ટ પણ લગભગ 6,000 કર્મચારીઓની નોકરીઓમાં કાપ મૂકવા જઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે કંપની ઉકુલના લગભગ 3 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે. આમાં તમામ સ્તરના કર્મચારીઓ સામેલ થશે અને કંપની પર તેની વ્યાપક અસર પડશે. આ પહેલા વર્ષ 2023માં માઇક્રોસોફ્ટે સૌથી મોટી છટણી કરી હતી અને 10 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. તે પછી આ બીજી સૌથી મોટી છટણી છે.
કંપની છટણીથી પ્રભાવિત કર્મચારીઓને બે વિકલ્પો પણ આપી રહી છે. સૌપ્રથમ કર્મચારીઓને તેમની સેવા સમાપ્ત થયા પછી 60 દિવસનો પગાર આપવામાં આવશે. વધુમાં અસરગ્રસ્ત સ્ટાફ પુરસ્કારો અને બોનસ માટે પાત્ર રહેશે.
માઈક્રોસોફ્ટ તેના 3 ટકા કર્મચારીઓની છટણી કરશે
વધુમાં કામગીરીના આધારે છૂટા કરાયેલા કર્મચારીઓને સુધારણા માટે થોડો સમય આપવામાં આવશે અથવા તેઓ 16 અઠવાડિયાના સેવરેન્સ પગાર સાથે ગ્લોબલ વોલંન્ટરી સેપરેશન એગ્રીમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકે છે.
ગયા વર્ષે એટલે કે જૂન 2024 સુધી માઈક્રોસોફ્ટમાં કુલ કર્મચારીઓની સંખ્યા 228000 હતી, જેમાંથી 1985 કર્મચારીઓ ફક્ત વોશિંગ્ટનમાં છે. આવી સ્થિતિમાં કંપની તેના વૈશ્વિક કર્મચારીઓમાંથી ત્રણ ટકા કર્મચારીઓને કાઢી રહી છે. આ નિર્ણયને સમજાવતા કંપનીએ ખર્ચ નિયંત્રણ અને એઆઇમાં ભારે રોકાણને તેની પાછળનું કારણ ગણાવ્યું છે.
કારણ શું છે?
માઈક્રોસોફ્ટે છટણીને સમજાવતા કહ્યું કે તેઓ તમામ મેનેજમેન્ટના નિયંત્રણની સમયસીમાને વધારીને વધુ સંગઠિત કરવા માંગે છે. આવી સ્થિતિમાં તાજેતરના છટણીઓ મુખ્યત્વે મેનેજમેન્ટ ભૂમિકાઓમાં રોકાયેલા લોકોને અસર કરશે.
જાપાની કંપની 20,000 લોકોને છૂટા કરશે
હવે આ યાદીમાં જાપાની કાર ઉત્પાદક કંપની નિસાનનું નામ પણ ઉમેરાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિસાન લગભગ 20 હજાર લોકોને સ્થળાંતર કરવા જઈ રહ્યું છે, જે અગાઉની જાહેરાત કરતા લગભગ બમણું છે. વૈશ્વિક વેચાણમાં ઘટાડા અને નુકસાનને કારણે નાણાકીય કટોકટી વચ્ચે કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવેમ્બરમાં, નિસાને જણાવ્યું હતું કે યુએસ અને ચીનમાં નબળા કાર વેચાણને કારણે તેનો પ્રથમ છ મહિનામાં નફો 94% ઘટ્યો છે. આ કારણે તેઓ 9 હજાર કર્મચારીઓને છૂટા કરશે. જાપાનના પ્રસારણકર્તા NHK અનુસાર, હવે કંપનીએ 20 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે, જે નિસામના કુલ કાર્યબળના 15 ટકા છે.





















