શોધખોળ કરો

PNB ગ્રાહકો માટે મોટું એલર્ટ: આવતીકાલથી આ બેંક ખાતાઓ કાયમ માટે બંધ થઈ જશે!

PNB account closure: છેલ્લા 3 વર્ષથી શૂન્ય બેલેન્સ અને નિષ્ક્રિય પડેલા ખાતાઓ પર 16 એપ્રિલથી બેંક આકરી કાર્યવાહી કરશે; તમારું ખાતું બચાવવા માટે તાત્કાલિક આટલું કરો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • PNB 16 એપ્રિલથી નિષ્ક્રિય ખાતાઓ બંધ કરશે.
  • 3 વર્ષથી વ્યવહાર ન થયો, બેલેન્સ શૂન્ય ખાતાઓ બંધ.
  • છેતરપિંડી રોકવા e-KYC ફરજિયાત કરવામાં આવી.
  • ખાતું બચાવવા શાખાની મુલાકાત, e-KYC કરાવો.

PNB account closure: જો તમારું બેંક એકાઉન્ટ પણ પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. બેંકે તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ અને ચેતવણી જારી કરી છે, જે મુજબ આવતીકાલથી એટલે કે 16 એપ્રિલથી બેંક અમુક ખાતાઓ હંમેશા માટે બંધ કરવા જઈ રહી છે. જે બેંક ખાતાઓમાં છેલ્લા 3 વર્ષથી કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર (ટ્રાન્ઝેક્શન) થયો નથી અને જેનું બેલેન્સ શૂન્ય છે, તેવા તમામ નિષ્ક્રિય ખાતાઓ પર બેંક તાળું મારી દેશે. ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે બેંકે આ કડક નિર્ણય લીધો છે.

કયા ખાતાઓ પર લટકી રહી છે તલવાર?

બેંક લાંબા સમયથી ધૂળ ખાતા નિષ્ક્રિય (Dormant) એકાઉન્ટ્સ પર સફાયો બોલાવવાની તૈયારી કરી રહી છે. નિયમ મુજબ:

જે ખાતાઓમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ રૂપિયાની લેવડ દેવડ નથી થઈ.

જે ખાતાઓમાં બેલેન્સ બિલકુલ શૂન્ય (0) છે.

જે ખાતાઓ પહેલાથી જ નિષ્ક્રિય સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત, બેંકે સ્પષ્ટ કર્યું છે કે દરેક ગ્રાહક માટે e KYC પૂર્ણ કરવું ફરજિયાત છે. જો તમે નિયમોનું પાલન કરીને e KYC નહીં કરાવો, તો પણ તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે.

તમારું ખાતું બંધ થતું કેવી રીતે અટકાવશો?

જો તમે ઈચ્છતા હોવ કે તમારું ખાતું બંધ ન થાય અને રાબેતા મુજબ ચાલુ રહે, તો ગભરાવાની જરૂર નથી, બસ આટલું કરો:

તમારા જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે) લઈને તમારી નજીકની PNB શાખાની મુલાકાત લો.

ત્યાં જઈને બેંકના અધિકારી પાસે તમારી e KYC ની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરાવી લો.

e KYC કરાવવાની સાથે જ, તમારા ખાતામાં થોડા પૈસા જમા કરાવી દો, જેથી તમારું એકાઉન્ટ શૂન્ય બેલેન્સવાળું ન રહે અને ફરીથી એક્ટિવ થઈ જાય.

બેંકે આવો આકરો નિર્ણય કેમ લીધો?

તમને પ્રશ્ન થતો હશે કે બેંક અચાનક ખાતાઓ કેમ બંધ કરી રહી છે? હકીકતમાં, બેંકના રેકોર્ડમાં એવા હજારો ખાતાઓ છે જેમાં વર્ષોથી કોઈ વ્યવહાર થયો નથી અને બેલેન્સ શૂન્ય છે. આવા લાંબા સમયથી નિષ્ક્રિય પડેલા ખાતાઓનો ઉપયોગ સાયબર ગઠિયાઓ છેતરપિંડી કે ગેરકાયદેસર કામો માટે કરી શકે છે. આવા ખાતાઓ ફ્રોડ માટે સરળ ટાર્ગેટ બની જાય છે, તેથી ભવિષ્યમાં થનારી કોઈ મોટી છેતરપિંડીને રોકવા અને ગ્રાહકોના હિતને સુરક્ષિત રાખવા બેંકે આ આગોતરું પગલું ભર્યું છે.

Frequently Asked Questions

PNB દ્વારા કયા પ્રકારના એકાઉન્ટ્સ બંધ કરવામાં આવી રહ્યા છે?

PNB એવા એકાઉન્ટ્સ બંધ કરી રહી છે જેમાં છેલ્લા 3 વર્ષથી કોઈ નાણાકીય વ્યવહાર થયો નથી અને બેલેન્સ શૂન્ય છે. જો e KYC પૂર્ણ નહિ થાય તો પણ એકાઉન્ટ બંધ થઈ શકે છે.

PNB એકાઉન્ટ બંધ થતું અટકાવવા માટે શું કરવું જોઈએ?

તમારું એકાઉન્ટ બંધ થતું અટકાવવા માટે, નજીકની PNB શાખાની મુલાકાત લઈને e KYC કરાવો અને ખાતામાં થોડા પૈસા જમા કરાવો.

PNB દ્વારા એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે?

સાયબર ગઠિયાઓ દ્વારા છેતરપિંડી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે નિષ્ક્રિય ખાતાઓનો દુરુપયોગ રોકવા માટે બેંકે આ નિર્ણય લીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PNB માં જમા કરો ₹1,50,000 અને મેળવો ₹1,07,254 નું ફિક્સ વ્યાજ, ખાતામાં આવશે કુલ ₹2,57,254
PNB માં જમા કરો ₹1,50,000 અને મેળવો ₹1,07,254 નું ફિક્સ વ્યાજ, ખાતામાં આવશે કુલ ₹2,57,254
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા! ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે પગાર, જાણો પગારના 7 અપડેટ 
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા! ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે પગાર, જાણો પગારના 7 અપડેટ 
Gold Silver Rate: ચાંદીની કિંમતમાં થઈ ગયો ઘટાડો, સોનાની ચમક પણ ઘટી, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીની કિંમતમાં થઈ ગયો ઘટાડો, સોનાની ચમક પણ ઘટી, જાણી લો લેટેસ્ટ કિંમત 
Lump Sum Investment: શું હોય છે લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટ, જાણો વધુ રિટર્ન માટે ક્યાં કરવું રોકણ ?
Lump Sum Investment: શું હોય છે લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટ, જાણો વધુ રિટર્ન માટે ક્યાં કરવું રોકણ ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે 
Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે 
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા! ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે પગાર, જાણો પગારના 7 અપડેટ 
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા! ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે પગાર, જાણો પગારના 7 અપડેટ 
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
DA Hike: આ રાજ્ય સરકારના કર્મચારીઓને લાગી લોટરી! મોંઘવારી ભથ્થું વધી થયું 60%,જાણો કેટલો વધશે પગાર
DA Hike: આ રાજ્ય સરકારના કર્મચારીઓને લાગી લોટરી! મોંઘવારી ભથ્થું વધી થયું 60%,જાણો કેટલો વધશે પગાર
'કૉકરોચ જનતા પાર્ટી' પર મોટી કાર્યવાહી, ભારતમાં બંધ થયું'X' એકાઉન્ટ 
'કૉકરોચ જનતા પાર્ટી' પર મોટી કાર્યવાહી, ભારતમાં બંધ થયું'X' એકાઉન્ટ 
બેંગલુરુ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, રનવે સાથે ટકરાયુ એર ઇન્ડિયાનું નિમાન, 179 યાત્રીઓ હતા સવાર
બેંગલુરુ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, રનવે સાથે ટકરાયુ એર ઇન્ડિયાનું નિમાન, 179 યાત્રીઓ હતા સવાર
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
Embed widget