શોધખોળ કરો

Gandhinagar: ક્યાંક તમારી મતદાર યાદીમાં નથીને ભૂલ, આ તારીખથી શરુ થઈ રહ્યો છે સુધારણ કાર્યક્રમ

ગાંધીનગર: મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગર: મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હાલ મુસદ્દા મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,87,59,709 મતદારો, જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ ઉપરાંત EPIC (મતદાર ઓળખપત્ર) ફાળવવામાં આવ્યા છે અને મતદાર e-EPIC પણ download  કરી શકે છે. 

રાજ્યભરમાં આગામી તા.05/11/2023 (રવિવાર) ના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તા. 05/01/2024 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આજથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 

આ ઝુંબેશ અંતર્ગત તા.27/10/2023 ના રોજ સંકલિત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ તા. તા.27/10/2023  થી તા. 09/12/2023 સુધી મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે.

હાલ મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા છે. જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તથા તમામને EPIC (મતદાર ઓળખપત્ર) ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પુનઃગઠન બાદ કુલ 50,677 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્યભરમાં ખાસ  સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન આગામી તા.05/11/2023 ને  ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે. આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે 

મતદારો તેમના વિસ્તારની મતદાર નોંધણી અધિકારીની કચેરી, કલેકટર કચેરીના સ્થળો અને ખાસ ઝુંબેશની તારીખે મતદાન મથકોએ સબંધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. મતદારોને વિનંતી છે કે પોતાનું તેમજ પરિવારજનોનું નામ મતદારયાદીમાં ચકાસી લે અને જરૂર જણાયે મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે. તા.26 ડિસેમ્બર, 2023 સુધીમાં આ અરજીઓના નિકાલ કરવામાં આવશે.

આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બુથ લેવલ ઑફિસર પાસે પણ હક્ક-દાવાના ફોર્મ જમા કરાવી શકાશે. વધુમાં, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP  ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે. 

આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મળેલી હક્ક-દાવાઓની અરજીઓનો નિકાલ કરી તા.05/01/2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.  આ મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે, Image PDF ફોર્મેટમાં મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોની મતદાર યાદી જોવા મળી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત

વિડિઓઝ

Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget