શોધખોળ કરો

નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરીને લઈને શું આવ્યા સૌથી મોટા સમાચાર? જાણો વિગત

ઉચ્ચ કક્ષાના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, શેરી ગરબાને રજા આપવાનું મન રાજ્ય સરકારે બનાવી લીધી છે. 200 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાને મંજૂરી મળી શકે છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી નવરાત્રિમાં ગરબા રમવાની મંજૂરી મળશે કે નહીં, તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, એબીપી અસ્મિતા પાસે આ અંગે એક્સક્લુઝિવ જાણકારી સામે આવી છે. ઉચ્ચ કક્ષાના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, શેરી ગરબાને રજા આપવાનું મન રાજ્ય સરકારે બનાવી લીધી છે. 200 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાને મંજૂરી મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, નવરાત્રિમાં મોટા આયોજનોને મંજૂરી નહીં મળે. એટલે કે આ વર્ષે પાર્ટી પ્લોટોમાં ગરબા યોજી શકાશે નહીં. સૂત્રોએ આપેલી વિગતો પ્રમાણે સરકાર એક અઠવાડિયામાં આ અંગેની માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. અત્યાર સુધી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવતી હતી. જોકે, કોરોના સમયમાં સમય મર્યાદામાં ઘટાડો કરવાને લઈને વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, નવરાત્રિ દરમિયાન શેરી ગરબાને મંજૂરી આપવા માટે રૂપાણી સરકાર વિચારણા કરી રહી છે. ગરબાના રસિકો માટે નીતિન પટેલનું નિવેદન રાહત આપનારું છે. પાર્ટી પ્લોટમાં તો નહીં, પણ સોસાયટીઓમાં કે ઘર આંગણે ગરબા રમી શકાશે. પાટણમાં કાર્યક્રમોમાં હાજરી આપવા આવેલા નીતિન પટેલે નવરાત્રિ અંગે જણાવ્યું કે, રાજ્ય સરકારે શેરી ગરબાને મંજૂરી આપવાની વિચારણા શરૂ કરી છે અને 200 લોકો ભાગ લઈ શકે તે શરત સાથે ગરબાની મંજૂરી આપવામાં આવે તે અંગે હાલ સરકાર વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકારની અનલોક 5ની ગાઈડલાઈન મુજબ નવરાત્રિમાં શેરી ગરબામાં છૂટછાટ મળી શકે છે તેવા સંકેત નીતિન પટેલે આપ્યા હતા. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે, પાર્ટી પ્લોટમાં થતાં ગરબાના મોટા કાર્યક્રમો અંગે સરકારે હજુ નિર્ણય લીધો નથી પણ તેને મંજૂરી મળવાની શક્યતા નથી. ગુજરાતમાં નવરાત્રિના આયોજનને મંજૂરી આપવા આયોજકોના દબાણ વચ્ચે ગુજરાતના ડોક્ટરોએ સરકારને નવરાત્રિની પરમિશન ન આપવા માટે વિનંતી કરી છે. આ માહોલમાં નીતિન પટેલે શેરી ગરબાને મંજૂરી આપવાના સંકેત આપતાં ગુજરાતીઓને રાહત થશે. કોરોના પરિસ્થિતિમાં બહુમતી લોકો નવરાત્રિનું આયોજન ન કરવું જોઈએ તેવો મત દર્શાવી રહ્યા છે., નવરાત્રિને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget