ગુજરાતમાં આજે ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા, જાણો ક્યાં શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા ?
દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 16 કેસ નોંધાયા છે.

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 16 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રોનના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓમિક્રોન સાથે કોરોનાના કેસો પણ વધતાં હાહાકાર મચી ગયો છે. આજે ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશન 2, કચ્છ 1, ખેડા 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 અને આણંદરમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે જે ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશન 2, કચ્છ 1, ખેડા 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 અને આણંદરમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 152 પર પહોંચી ગઈ છે. જેમાંથી 85 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1259 કેસ
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા છે. બીજી તરફ 151 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18, દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98. ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા છે. આજે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 5858 કેસ છે. જે પૈકી 16 વેન્ટીલેટર પર છે, જ્યારે 5842 નાગરિકો સ્ટેબલ છે. 8,19,047 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10123 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારી 1 અને જામનગર કોર્પોરેશનમાં 2 મોત થયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 28 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 334 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6641 લોકોને પ્રથમ અને 28719 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 138174 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 78272 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 7,46,485 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,04,35,373 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, જૂનાગઢ કોર્પોરેશન, નર્મદા, પંચમહાલ, પાટણમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
Before You Go
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી





















