શોધખોળ કરો

Gujarat Corona Case Update: રાજ્યમાં ફરી 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા, રાજ્યમાં વેક્સિનનો એક પણ ડોઝ ન હોવાનો ખુલાસો

Gujarat Corona Case Update: રાજ્યમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 88 કેસ નોંધાયા છે. જ્યારે મોરબીમાં 35 કેસ, સુરત શહેરમાં 30 કેસ, વડોદરા શહેરમાં 27 કેસ, ગાંધીનગરમાં 23 કેસ અને મહેસાણામાં 22 કેસ નોંધાયા છે.

Gujarat Corona Case Update: રાજ્યમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 88 કેસ નોંધાયા છે. જ્યારે મોરબીમાં 35 કેસ, સુરત શહેરમાં 30 કેસ, વડોદરા શહેરમાં 27 કેસ, ગાંધીનગરમાં 23 કેસ અને મહેસાણામાં 22 કેસ નોંધાયા છે.

તો બીજી તરફ રાજ્યામાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે બૂસ્ટર ડોઝ અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનં નિવેદન આપ્યું છે. રાજ્યમાં હાલ રસીનો એક પણ ડોઝ ઉપલબ્ધ ન હોવાની તેમણે વાત કહી છે. કેન્દ્ર સરકાર પાસે રસીના જથ્થાની માગણી કરવામાં આવી છે. નવી કોર્બોવેક્સ વેક્સિન ગુજરાતને આપવામાં આવશે. કોવિશિલ્ડ અને કોવેક્સિન લીધેલી હશે તો પણ આ નવી વેક્સિન લઈ શકાશે. 

વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાના રોજ એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યો છે. સંક્રમણ થયું છે તેમાં ગંભીરતા દેખાઈ નથી. હાલ દાખલ છે તેવા 51 દર્દીઓ છે. હાલ 20 હજાર ટેસ્ટિગ થઈ રહ્યા છે. અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. 2200થી વધુ એક્ટિવ કેસ છે લોકો સંયમ પાળે અને સંક્રમણ ન વધે અને સોશિયલ ડિંસ્ટંસ જળવાય તે જરૂરી છે. 

નિષ્ણાંતોની કોરોનાને લઈ ચેતવણી સાથે જ જાહેર કરી કોવિડના અંતની તારીખ

 દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ચેપ દર પણ વધી રહ્યો છે અને દિલ્હીમાં તે 15% થી ઉપર પહોંચી ગયો છે. પરંતુ, સારી વાત એ છે કે તેમાં કોઈ ગંભીર બાબત નથી. હાલમાં દિલ્હીમાં 99 દર્દીઓ સારવાર માટે દાખલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાના વધવા પાછળ ઘણા કારણો છે, જેમાં વાયરસનું વારંવાર પરિવર્તન, નવા પ્રકાર XBB.1.16થી ચેપ. તે ઝડપથી ફેલાય છે, પરંતુ રોગને ગંભીર બનાવતો નથી. ઉપરથી લોકોનું વર્તન બદલાઈ ગયું છે અને આ હવામાન ચેપ ફેલાવવામાં પણ મદદ કરે છે. ગરમી આવતા જ ચેપની અસર ઓછી થઈ જશે.

કોરોના ક્યાંય ગયો નથી

આ અંગે મૌલાના આઝાદ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન પ્રોફેસર સુનિલા ગર્ગે કહ્યું હતું કે, સૌથી પહેલા જાણી લો કે કોરોના ક્યાંય ગયો નથી અને ક્યાંય જવાનો પણ નથી. કેસો આવતા રહેશે કારણ કે વાયરસ પરિવર્તિત થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, એ સાચું છે કે, હવે સ્થિતિ રોગચાળાના અંત તરફ છે, તે પહેલા જેટલી ખતરનાક નથી. પરંતુ લોકો તેને હળવાશથી લેવા લાગ્યા છે. જે યોગ્ય નથી. લોકોએ કોવિડ વર્તનનું પાલન કરવું જોઈએ. ભીડ અથવા હોસ્પિટલમાં જતી વખતે માસ્ક પહેરવું જોઈએ. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઘણા કેન્દ્રોમાં બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ નથી, સરકારે ત્યાં રસીના ડોઝ આપવા જોઈએ.

કોઈ અફસોસની જરૂર નથી

પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડૉ.ચંદ્રકાંત લહરિયાએ જણાવ્યું હતું કે, હાલ જે તપાસ થઈ રહી છે તે રેન્ડમ ટેસ્ટ નથી. જેમને તાવ, શરદી અને ઉધરસ હોય તો જ લોકો તપાસ માટે જતા હોય છે, તેથી જ ચેપનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી જ કોરોનાના કેસોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. હું માનું છું કે તપાસ કરવાની જરૂર નથી અને ન તો તેના પર વધુ ધ્યાન આપવું. તેની ગણતરી પણ બંધ કરવી જોઈએ. જ્યારે તેના કારણે કોઈ રોગ ન હોય તો પસ્તાવાની જરૂર નથી. જેઓ બીમાર છે તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. તેમની કાળજી લેવી જોઈએ. આવા લોકો કોવિડ વર્તનને અનુસરતા રહે છે.

કોવિડની નાની લહેર

મેદાંતા હોસ્પિટલના ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનલ મેડિસિન એન્ડ રેસ્પિરેટરી એન્ડ સ્લીપ મેડિસિનના અધ્યક્ષ ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, તેને 'સ્મોલ વેવ' કહી શકાય, પરંતુ તે ડેલ્ટા વેરિઅન્ટ જેવી ગંભીર બીમારીનું કારણ નથી. હા, તે ચોક્કસપણે છે કે ચેપ વધી રહ્યો છે. તેનું એક કારણ હવામાન પણ છે. જ્યારે પણ આ પ્રકારનું હવામાન આવે છે, ત્યારે તે વાયરસને ફેલાવવામાં મદદ કરે છે. જ્યારે પણ ભેજ હોય છે, ત્યારે વાયરસ હવામાં લાંબા સમય સુધી જીવંત રહે છે અને વધુ ચેપનું કારણ બને છે. જેમ જેમ ઉનાળો વધશે તેમ ચેપ ઓછો થશે. તાપમાન 40 ડિગ્રીથી ઉપર જતા જ વાયરસ ટકી શકશે નહીં. ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે, આગામી બે સપ્તાહમાં કેસમાં ઘટાડો થવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget