![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપનાં કોર્પોરેટરના પતિની હત્યાના કેસમાં ક્યા ભાજપ સમર્થક નેતા સામે નોંધાઈ ફરિયાદ ? કેમ બંધાયું હતું વેર ?
વિરમગામમાં ભાજપનાં મહિલા કોર્પોરેટર સોનલબેનના પતિ હર્ષદ ગામોતની હત્યાના કેસમાં 7 લોકો સામે વિરમગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે
![ભાજપનાં કોર્પોરેટરના પતિની હત્યાના કેસમાં ક્યા ભાજપ સમર્થક નેતા સામે નોંધાઈ ફરિયાદ ? કેમ બંધાયું હતું વેર ? A complaint was registered against 7 people in the case of the murder of the husband of a BJP woman corporator in Viramgam. ભાજપનાં કોર્પોરેટરના પતિની હત્યાના કેસમાં ક્યા ભાજપ સમર્થક નેતા સામે નોંધાઈ ફરિયાદ ? કેમ બંધાયું હતું વેર ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/0d5b8b043c9f9e6a6655792aec4e2f36167341320930274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ વિરમગામમાં ભાજપનાં મહિલા કોર્પોરેટર સોનલબેનના પતિ હર્ષદ ગામોતની હત્યાના કેસમાં 7 લોકો સામે વિરમગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ કેસમાં ભાજપ સમર્થક અને વોર્ડ નબર 2ના અગ્રણી ભરત કાઠી ઉપરાંત 6 લોકો સામે ફરીયાદ નોંધાઈ છે.
ભરત કાઠી મૃતક હર્ષદ ભાઈ અને તેમનાં પત્નીને જાનથી મારી દેવાની ધમકી આપતો હતો. 2021ની નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે હર્ષદભાઈ અને તેમનાં પત્ની ચૂંટણી લડતાં વેર બંધાયું હતું. 15 વર્ષ પહેલાં મૃતક હર્ષદ ભાઈ અને આરોપી ભરત કાઠી વચ્ચે વ્યાપારિક સંબધો હતાં. વેપારમાં છૂટા પડયા બાદ પણ બન્નેનાં સંબધોમાં તિરાડ પડી હતી.
સોનલબેને ચૂંટણી જીતતાં વર્ચસ્વની લડાઈ બાબતે વેર બંધાયું હતું.
Aadhaar Card Update: તમે આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ જેવી વિગતો કેટલી વાર બદલી શકો છો? જાણો વિગતો
Aadhaar Card Update: આજના સમયમાં ભારતમાં કોઈ પણ કામ આધાર કાર્ડ વગર કરવું ખૂબ જ મુશ્કેલ છે. બાળકોના સ્કૂલ, કોલેજમાં એડમિશનથી લઈને મુસાફરી દરમિયાન, બેંક એકાઉન્ટ ખોલાવવાથી લઈને પ્રોપર્ટી ખરીદવા સુધીના તમામ કામ માટે આધાર કાર્ડ જરૂરી છે. દેશની લગભગ દરેક સરકારી યોજનાનો લાભ લેવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં, આધારમાં દાખલ કરાયેલી તમામ વિગતો અપડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI દેશના તમામ નાગરિકોને સરળતાથી આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે. તમે નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું, નોંધાયેલ મોબાઇલ નંબર વગેરે જેવી કોઈપણ માહિતી અપડેટ કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે UIDAIએ આધારમાં માહિતી અપડેટ કરવાની મર્યાદા પણ નક્કી કરી છે. આવો જાણીએ આ વિશે.
દરેક નાગરિકને માત્ર એક જ વાર આધાર મળે છે
તમને જણાવી દઈએ કે UIDAI દરેક નાગરિકને માત્ર એક જ વાર આધાર કાર્ડ જારી કરે છે. UIDAI પાંચ વર્ષથી નીચેના બાળકોને પણ આધાર જારી કરે છે. આ પ્રકારના આધાર કાર્ડને બ્લુ આધાર કાર્ડ કહેવામાં આવે છે. તે બાળકની બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરતું નથી, જે બાળક 5 વર્ષ પૂર્ણ કરે પછી અપડેટ કરી શકાય છે. ધ્યાનમાં રાખો કે એક વ્યક્તિ માટે બે આધાર બનાવી શકાય નહીં.
જાણો કેટલી વાર આધારમાં નામ બદલી શકાય છે-
નિયમો અનુસાર, આધાર કાર્ડ ધારકો એક નિશ્ચિત મર્યાદા સુધી જ આધાર કાર્ડમાં પોતાનું નામ અપડેટ કરી શકે છે. આધાર કાર્ડ યુઝર્સ માત્ર બે વાર જ આધારમાં પોતાનું નામ અપડેટ કરાવી શકશે. આની મદદથી તમે તમારી જન્મતારીખ માત્ર એક જ વાર અપડેટ કરાવી શકો છો. જેમાં તમે માત્ર એક જ વાર લિંગ અપડેટ કરી શકો છો.
આધારમાં ફેરફાર માટે આ દસ્તાવેજ જરૂરી છે-
આધારમાં ફેરફાર કરવા માટે, તમારે પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક, પાન કાર્ડ, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ, રેશન કાર્ડ, મતદાર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી ફોટો ઓળખ કાર્ડ, વીજળી બિલ, પાણીનું બિલ, ટેલિફોન લેન્ડલાઇન બિલ, વીમા પોલિસી જેવા દસ્તાવેજોની જરૂર છે. વગેરેની જરૂર પડશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)