Talati examination: જાણો રવિવારે રાજ્યના આ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કેમ લાગું કરવામાં આવી ધારા 144
અમદાવાદ: રવિવારે તલાટીની પરીક્ષાને લઈ બનાસકાંઠા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. 124 પરીક્ષા કેન્દ્ર પર સવારે 9.30 થી 2.30 સુધી કલમ 144 લાગુ રહેશે.
![Talati examination: જાણો રવિવારે રાજ્યના આ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કેમ લાગું કરવામાં આવી ધારા 144 Banaskantha Collector issued a notification regarding Talati examination Talati examination: જાણો રવિવારે રાજ્યના આ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કેમ લાગું કરવામાં આવી ધારા 144](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/18/400bdf89b91f3c03d00634ef115bbdcb1681815004458109_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: આગામી તારીખ ૭ મી મે ના રોજ યોજાનાર તલાટીની પરીક્ષામાં આશરે ૮ લાખથી વધુ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા કોઈ પણ પ્રકારની હાલાકી ન થાય તે માટે જી.એસ.આર.ટી.સી. ની ૬૦૦૦ બસો ઉપરાંત વધુ સુવિધા મળી રહે તે હેતુથી પ્રાઇવેટ અને સ્કૂલબસોને ખાસ કિસ્સામાં તારીખ ૬ અને ૭ મે માટે સ્ટેજ કેરેજની પરમિશન આપવામાં આવેલ છે.
બનાસકાંઠા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું
તો બીજી તરફ રવિવારે તલાટીની પરીક્ષાને લઈ બનાસકાંઠા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. 124 પરીક્ષા કેન્દ્ર પર સવારે 9.30 થી 2.30 સુધી કલમ 144 લાગુ રહેશે. 100 મીટરની ત્રિજ્યા વિસ્તારમાં અનધિકૃત લોકો દાખલ થઈ શકશે નહિ. કલમ 144નો ભંગ કરનાર સામે 188 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
તો બીજી તરફ તલાટીની પરીક્ષાને લઈને સુરત એસટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે. કંટ્રોલ રૂમ નબર પણ જાહેર કરાયો છે. ઓનલાઈન બુકિંગ પણ શરુ કરાયું છે. કંટ્રોલ રૂમનો ૬૩૫૯૯-૧૮૭૪૬ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ૬ તારીખે ૭૦ બસો જયારે ૭ તારીખે ૧૨૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સુરતમાંથી વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ, આણંદ, ભરૂચ અને તાપી સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવાશે. વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા હોય તો ૬૩૫૯૯-૧૮૭૪૬ પર સંપર્ક કરી શકે છે.
પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્રારા આગામી 7મે નાં રોજ યોજાનાર તલાટીની પરીક્ષાને લઈ પંચમહાલ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામા આવી છે. જીલ્લામાં કુલ 14650 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. જે માંટે 42 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લેનાર તમામ ઉમેદવારોની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
ગોધરા ખાતે આવેલી બીઆરજી ભવન ખાતે જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા શિક્ષણ અધિકારી પદાધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી બેઠમાં કેંદ્ર નિયામક, રૂટ સુપરવાઇઝર તથા મદદનીસ રૂટ સુપરવાઇઝર બોર્ડ પ્રતિનિધિ, CCTV ઓબ્ઝર્વર સહિત પરીક્ષા સાથે સંકળાયેલ 165 કર્મચારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. તલાટીની પરીક્ષા જોડાનાર તમામ કર્મચારીઓને પોતાની જવાબદારી સાથે જરૂરી સૂચનાં આપવામા આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)