શોધખોળ કરો

Gujarat Lockdown: રાજ્યના આ શહેરમાં જોવા મળ્યો લૉકડાઉન જેવો સીન, કારણ જાણીને રહી જશો દંગ

કોરોના વાયરસ વચ્ચે દિયોદરમાં ઉત્સવનો દિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જેને લઈ આરોગ્ય વિભાગે પણ નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

બનાસકાંઠા: ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ સુરતમાં નાઇટ કરફ્યૂનો 17મી માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ સુધી આ નાઇટ કર્ફ્યૂ અમલી રહેશે. આ દરમિયાન દિયોદર શહેરમાં ફરી એક વખત બંધ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

માત્ર મેડિકલ સુવિધા જ શરૂ રહી

દિયોદરમાં રામજી મંદિરના પ્રતિષ્ઠાની વર્ષીની દિવસે નગરજનોએ ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ રાખ્યા હતા. લોકોએ આરોગ્યની ચિંતા કરી હતી અને નગરજનોએ ઘરે રહી સંદેશ આપ્યો હતો. આ દરમિયાન માત્ર મેડિકલ સુવિધા જ ઉપલબ્ધ રહી હતી. દિયોદર શહેર સંયુકત બંધ પાળી એક ઉત્સવ ઉજવ્યો હતો.
ગ્રામપંચાયતના સરપંચ દ્વારા નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપા કમિશ્નરને આપી સત્તા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં વકરી રહેલા કોરોનાને લઈને ગુજરાતની રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે અને જે તે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા ભરવાની સત્તા મનપા કમિશ્નરોને આપવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂની મુદત ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી હાઇપાવર કમિટીની મીટિંગમાં નાઇટ કર્ફ્યૂ અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોઈ કારણસર કમનસીબે ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેરોનાં કમિશ્નરોને સૂચના આપી છે, પોતાના શહેરનાં નિર્ણયો કમિશ્નરો લઇ શકે છે. આજે ગ્રૂપની બેઠકમાં કર્ફ્યૂ અંગે કયો સમય રાખવો, કેટલો સમય રાખવો, કયા વિસ્તારોમાં રાખવો, બીજા શું પગલા લેવા તે અંગેનો નિર્ણય સાંજ સુધીમાં લેવામાં આવશે.

રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ

ગઈકાલે રાજ્યમાં કોરોનાના 890  નવા કેસ નોંધાયા હતા જ્યારે 594  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં 1 મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4425 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકા પર પહોંચ્યો છે. હાલ 4717  એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661  લોકો સ્ટેબલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ
ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
Embed widget