શોધખોળ કરો

ગુજરાતમાં ફેક્ટરીના નિયમો બદલાયા, નવા કાયદામાં હવે 12 કલાકની શિફ્ટ અને ઓવરટાઇમની લિમિટમાં પણ ફેરફાર

જે કામદારો 4 દિવસ સુધી દરરોજ 12 કલાક કામ કરે છે, તેમને 5મા અને 6ઠ્ઠા દિવસે પગાર સાથેની રજા આપવાની રહેશે.

gujarat factory rules change: ગુજરાત સરકારે 'કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025' વિધાનસભા ગૃહમાં પસાર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ કાયદા હેઠળ હવે રાજ્યમાં મહિલા શ્રમયોગીઓ તેમની સંમતિ અને સલામતીની શરતોને આધીન રાત્રિપાળીમાં પણ કામ કરી શકશે. આ સુધારો મહિલાઓને સમાનતા અને આર્થિક ઉપાર્જન માટે વધુ તકો પૂરી પાડશે. આ ઉપરાંત, નવા નિયમ મુજબ કામના કલાકો અને ઓવરટાઈમ માં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગ આપવાનો છે.

મહિલાઓ માટે રાત્રિપાળીમાં કામ કરવાની કાયદેસરની તક

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આ વિધેયકનો મુખ્ય હેતુ રાજ્યના વિકાસમાં નારી શક્તિ ની ભાગીદારીને વધારવાનો છે. આ કાયદા પહેલાં મહિલાઓ માટે રાત્રિપાળીમાં કામ કરવાની કાયદેસર જોગવાઈ નહોતી. જોકે, ગુજરાત ન્યાયાલયના નિર્દેશોને ધ્યાનમાં રાખીને અને મહિલાઓના બંધારણીય અધિકારોનું સન્માન કરતાં આ જોગવાઈ ઉમેરવામાં આવી છે. તેનાથી મહિલાઓ રાત્રિ દરમિયાન પણ સલામત વાતાવરણમાં કામ કરીને આર્થિક રીતે સક્ષમ બની શકશે અને તેમના પરિવાર માટે પણ દિવસ દરમિયાન વધુ સમય ફાળવી શકશે.

કામના કલાકો અને ઓવરટાઇમ સંબંધિત મુખ્ય જોગવાઈઓ

આ સુધારા વિધેયક દ્વારા કારખાના ધારા, 1948 ની કુલ 6 કલમોમાં ફેરફાર સૂચવાયા છે:

  • રોજના 12 કલાકની શિફ્ટ: નવા નિયમ મુજબ, કામદારો વિરામ સાથે રોજના મહત્તમ 12 કલાક કામ કરી શકશે, પરંતુ અઠવાડિયાના કુલ કામના કલાકો 48 થી વધુ હોઈ શકશે નહીં.
  • વિરામ: શ્રમિકને દર 6 કલાક બાદ ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ છે.
  • વેતન સાથે રજા: જે કામદારો 4 દિવસ સુધી દરરોજ 12 કલાક કામ કરે છે, તેમને 5મા અને 6ઠ્ઠા દિવસે પગાર સાથેની રજા આપવાની રહેશે.
  • ઓવરટાઈમ: ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન પૂર્વ મંજૂરી સાથે મહત્તમ 125 કલાક સુધીનો ઓવરટાઈમ કરી શકાશે, જે પહેલાં કરતા વધુ છે.

સરકારનો ઉદ્દેશ્ય: ઔદ્યોગિક વિકાસ અને શ્રમિક હિતોનું રક્ષણ

મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો અને નવા ઉદ્યોગોને આકર્ષવાનો છે. આ કાયદા દ્વારા ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે, જે રોજગારી નું સર્જન કરશે. આ તમામ જોગવાઈઓ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને જ અમલમાં આવશે અને સરકાર પાસે આ મંજૂરી પરત ખેંચવાનો અધિકાર રહેશે. આ સુધારાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 'આત્મનિર્ભર ભારત' ના સંકલ્પને સાકાર કરવામાં પણ મદદ કરશે. આ કાયદો શ્રમિકોના કલ્યાણની સાથે-સાથે રાજ્યની આર્થિક વૃદ્ધિ માટે પણ અગ્રસર રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget