![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘દારૂ વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો’, જાણો ગુજરાતના ક્યા નેતાએ કર્યો આ બફાટ
દારૂબંધી હટાવી સહકારી ક્ષેત્રે દારૂનું વેચાણ કરવાની આપેલી વણમાગી સલાહથી મોટો વિવાદ સર્જાયો છે.
![‘દારૂ વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો’, જાણો ગુજરાતના ક્યા નેતાએ કર્યો આ બફાટ Former chairman of Mehsana Dudh Sagar Dairy, Vipul Chaudhary said, if you want to sell alcohol, sell it pure like milk. ‘દારૂ વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો’, જાણો ગુજરાતના ક્યા નેતાએ કર્યો આ બફાટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/22/1c02881bfe2da15eb930c5e2bfae2923_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દારૂ વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો. આ બફાટ કર્યો છે મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેયરમેન વિપુલ ચૌધરીએ. કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતના તાંડવથી આખું ગુજરાત ધણધણ્યુ છે. એવામાં વિપુલ ચૌધરીની વણમાગી સલાહ સામે આવી છે.
પાટણમાં અર્બુદા સેનાની બેઠકમાં વિપુલ ચૌધરીએ મીડિયા સાથેની વાતમાં કહ્યુ કે, સહકારી સંસ્થાઓ ગુણવત્તા યુક્ત દૂધનું વેચાણ કરી રહી છે. તો ગુણવત્તાયુક્ત દારુનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. વિપુલ ચૌધરી આટલે જ ન અટક્યા અને ત્યાં સુધી બોલ્યા કે, સરકારને તકલફી ન હોય તો દારૂના વેચાણ માટે અમારી એજંસી આપી દઈએ. વિપુલ ચૌધરીએ દારૂબંધી હટાવી સહકારી ક્ષેત્રે દારૂનું વેચાણ કરવાની આપેલી વણમાગી સલાહથી મોટો વિવાદ સર્જાયો છે.
નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થયું છે. આ સાથે કેમિકલ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 42 પર પહોંચ્યો છે. બરવાળાના 45 વર્ષીય ગિરીશ વશરામ ભાઈનું સારવાર બાદ મૃત્યુ થયું છે. બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડ બાદ 95 અસરગ્રસ્તોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બરવાળા કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 42 પર પહોંચ્યો છે. હજુ પણ કેમિકલ લઠ્ઠાકાંડની અસરથી 60થી વધુ લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરી છે.
આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. રોજીદ ગામના સરપંચના પત્ર મુદ્દે સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે રોજીદ ગામના સરપંચના પત્ર બાદ છ વખત તે વિસ્તારમાં દરોડા પડાયા છે. 20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ થયાના નાગરિકોના અહેવાલો છે. દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી કેમિકલ લાવી વહેંચવા બુટલેગરો મજબૂર બન્યા છે.
સંઘવીએ કહ્યું કે કોઇ પણ દૂષણને ડામવા માટે સરકાર કટિબદ્ધ છે. દરેક ગામોમાં પોલીસ કડક પગલા ભરવા માંગે છે. આ પ્રકારની કોઇ પણ ઘટના બને તો સ્ટેટ મોનિટરિંગ સેલને જાણકારી આપવા લોકોને અપીલ કરવામાં આવે છે. કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડ અમે હાથ અધ્ધર કરવા માંગતા નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)