શોધખોળ કરો

Gujarat: પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યુ રાજીનામું, જાણો શું છે કારણ?

2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે

પ્રદીપસિંહ વાઘેલાએ ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. પ્રદિપસિંહ વાઘેલા વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરાઇ નથી. ભાજપના કાર્યાલય પર પ્રતિબંધની વાત પાયાવિહોણી છે. પ્રદિપસિંહ વાઘેલાએ પોતાની ઈચ્છાથી રાજીનામું આપ્યુ છે. પાર્ટી તરીકે અમને કોઈ ફરિયાદ મળી નથી.


Gujarat: પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યુ રાજીનામું, જાણો શું છે કારણ?

ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ મહામંત્રી પદથી રાજીનામું આપી દીધુ છે. વાઘેલાએ આ રાજીનામું થોડા દિવસ અગાઉ પક્ષને સોંપ્યુ હોવાનું પણ હવે સ્પષ્ટતા થઈ ચૂકી છે. જો કે વાઘેલા પાસેથી રાજીનામું લેવાયું હોવાની અને તેમને કમલમમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા પ્રાથમિક રીતે પાયાવિહોણી છે. પ્રદિપસિંહે રાજીનામું અંગતકારણોસર આપ્યું હોવાનું સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે.

 

અગાઉ એવી ચર્ચા થઇ હતી કે ભાજપ સાથે પરોક્ષ રીતે જોડાયેલા કેટલાક તત્વોની પ્રદિપસિંહ વાઘેલાને બદનામ કરવાની ભૂમિકા પણ સામે આવી છે. કેમ કે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હિમાંશું પંડ્યાની થોડા દિવસ અગાઉ એસઓજીએ પૂછપરછ કરી છે ત્યારે તેમની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. પ્રદિપસિંહ વાઘેલાને કોણ અને કઈ રીતે બદનામ કરી રહ્યું હતુ તે કહેવું મુશ્કેલ છે. પરંતુ એ હકિકતથી ઈનકાર ન કરી શકાય તે છેલ્લા કેટલાક દિવસથી પક્ષના નેતાઓને બદનામ કરવાનો તરકટો સામે આવી રહ્યાં છે.

છેલ્લા બે દાયકાથી ભાજપના પાયાના કાર્યકર્તા એવા પ્રદિપસિંહ અગાઉ યુવા ભાજપના અધ્યક્ષ હતા.  તો સી.આર.પાટીલ અધ્યક્ષ બન્યા બાદ પ્રદિપસિંહ વાઘેલાને મહામંત્રી બનાવાયા છે. પ્રદિપસિંહ વાઘેલા પક્ષના પાયાના કાર્યકર્તા રહેલા છે. સાથે જ છેલ્લા એક દાયકામાં પક્ષના કાર્યક્રમોને સફળ બનાવવા તેઓ હંમેશા સક્રિય રહ્યા છે.  પ્રદિપસિંહ વાઘેલા સંપૂર્ણ તપાસ ઈચ્છી રહ્યા છે અને આ તપાસમાં તેમને બદનામ કરવા જે પણ આરોપો લગાવાયા છે. પ્રદિપસિંહ પક્ષના સનિષ્ઠ કાર્યકર્તા તરીકે કાર્ય કરતા રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક લોકો પ્રદિપસિંહ વિરૂદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે.  કોણ કેવી રીતે ષડયંત્ર રચી રહ્યા છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક મોટા માથાઓ ભાજપના નેતાને બદનામ કરી રહ્યા છે.

ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે કહ્યું હતું કે પ્રદિપસિંહ વાઘેલાએ કોઈ કૌભાંડ કર્યુ નથી. પ્રદિપસિંહ વાઘેલા પક્ષના પાયાના કાર્યકર્તા છે. કમલમમાં પ્રદિપસિંહ વાઘેલાની કોઈ પ્રવેશબંધી નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા પોલીસના રડાર પર છે. હિમાંશુ પંડ્યા અને તેના મળતીયાઓની તપાસ થઈ રહી છે. હિમાંશુ પંડ્યા, જીનીત શાહ સહિતના લોકો પોલીસના રડાર પર છે. પ્રદિપસિંહ વાઘેલા ભાજપ સાથે જોડાયેલા રહેશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'
PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત
Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
Embed widget