શોધખોળ કરો

બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે સરકારની સ્પષ્ટતા: વાવ થરાદ નવો જિલ્લો બનશે, તેમાં 8 તાલુકાનો સમાવેશ થશે

Banaskantha district division: વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકાઓનો સમાવેશ થશે, જેનું વડુમથક પાલનપુર જ રહેશે.

Vav-Tharad new district: ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ, બનાસકાંઠામાંથી એક નવા જિલ્લાની રચના કરવામાં આવશે, જેનું નામ વાવ-થરાદ જિલ્લો હશે. આ વિભાજનનો મુખ્ય હેતુ વહીવટી સુધારણા લાવવાનો અને નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. નવા જિલ્લાની રચના બાદ, બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ વહીવટી એકમો અસ્તિત્વમાં આવશે. આ ફેરફારોથી બંને જિલ્લાના વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા છે.

બનાસકાંઠા જિલ્લાની નવી રૂપરેખા

વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકાઓનો સમાવેશ થશે, જેનું વડુમથક પાલનપુર જ રહેશે. નવા સીમાંકન મુજબ બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ થનારા તાલુકાઓ નીચે મુજબ છે:

  • પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગળ, હડાદ

આ ફેરફારોથી બનાસકાંઠાનો વહીવટી વિસ્તાર વધુ વ્યવસ્થિત અને સુચારુ બનશે.

નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાનું માળખું

બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પડીને બનેલા વાવ-થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા જિલ્લાનું વડુમથક થરાદ રહેશે. વાવ-થરાદ જિલ્લાના ભાગ બનનારા તાલુકાઓની યાદી આ મુજબ છે:

  • વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, લાખાણી, ભાભર, રાહ, ધરણીધર

રાજ્ય સરાકરે 17 નવા તાલુકાના નામની કરી જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 17 નવા તાલુકાઓની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને નાગરિકો માટે સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વેગ મળશે અને નાગરિકોને સરકારી કામકાજ માટે લાંબા અંતરની મુસાફરી કરવી નહીં પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં લેવામાં આવ્યું છે, જેનો સમાવેશ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી, 2026માં યોજાનારી ચૂંટણીઓમાં થઈ શકે છે.

અગાઉ નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી

આ અગાઉ, 2025ની શરૂઆતમાં, ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. આમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ નિર્ણય પહેલાં, ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ હતી - અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર. આ નવા ઉમેરા સાથે, રાજ્યમાં મહાનગરપાલિકાઓની કુલ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
Embed widget