શોધખોળ કરો

Gujarat Ayushman Card Alert: રાજ્યના 13 લાખ આયુષ્માન કાર્ડ થયા 'ઇનએક્ટિવ', મફત સારવાર મેળવવા તાત્કાલિક કરો આ કામ

Gujarat Ayushman card: મા-વાત્સલ્ય અને સિનિયર સિટિઝન યોજનાના લાભાર્થીઓ માટે લાલબત્તી, ઇમરજન્સીમાં દોડધામ ન કરવી હોય તો આજે જ રીન્યુ કરાવો.

Gujarat Ayushman card: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 'મા અમૃતમ', 'મા વત્સલ્ય', સિનિયર સિટિઝન અને મધ્યમ વર્ગના પરિવારોને મળતા સ્વાસ્થ્ય સુરક્ષા કવચ એટલે કે આયુષ્માન કાર્ડમાંથી અંદાજે 13 લાખ જેટલા કાર્ડ હાલમાં 'ઇનએક્ટિવ' (બંધ) થઈ ગયા છે. આવકના દાખલાની સમયમર્યાદા અથવા કાર્ડની મુદત પૂરી થવાને કારણે આ કાર્ડ બંધ થયા છે. ઘણીવાર દર્દીઓ ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચે ત્યારે કાર્ડ બંધ હોવાની જાણ થાય છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી, સરકારે તમામ લાભાર્થીઓને વહેલી તકે કાર્ડ રીન્યુ કરાવી લેવા અનુરોધ કર્યો છે.

13 લાખ પરિવારો પર સારવારનું સંકટ

રાજ્ય સરકારના ડેટા મુજબ, સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સમયસર અપડેટ ન કરાવતા તેમના કાર્ડ બંધ થઈ ગયા છે. સરકાર દ્વારા લાભાર્થીઓને મોબાઈલ પર SMS અને જાહેરાતો દ્વારા વારંવાર જાણ કરવામાં આવે છે, તેમ છતાં જાગૃતિના અભાવે રીન્યુઅલ પ્રક્રિયા બાકી રહી ગઈ છે. આના પરિણામે, જ્યારે કોઈ બીમારી આવે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું થાય છે, ત્યારે પરિવારજનોને કાર્ડ એક્ટિવ કરાવવા માટે છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડે છે. કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો પરિવાર સારવારથી વંચિત ન રહી જાય તે માટે સરકારે આ અપીલ કરી છે.

'જી' (G) કેટેગરીના કાર્ડ માટેનો ખાસ નિયમ

જે લાભાર્થીઓના કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયા છે અને તેઓ હવે તેને 'જી' (G) કેટેગરીમાં કન્વર્ટ કરવા માંગે છે, તેમના માટે સરકારે ખાસ પ્રક્રિયા જાહેર કરી છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારું જૂનું ઇનએક્ટિવ કાર્ડ રીન્યુ કરાવવું પડશે.

સ્ટેપ 2: રીન્યુ થયા બાદ તે કાર્ડને સિસ્ટમમાંથી ડિસેબલ (બંધ) કરાવવું પડશે.

સ્ટેપ 3: ત્યારબાદ જ તમે નવી 'જી' કેટેગરીમાં કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા કરી શકશો.

કાર્ડ ફરીથી એક્ટિવ (Renew) કેવી રીતે કરવું?

જો તમારું કાર્ડ બંધ થઈ ગયું હોય, તો ગભરાવાની જરૂર નથી. તમે નજીકની સરકારી હોસ્પિટલ, ઈ-ગ્રામ સેન્ટર અથવા ઘરે બેઠા ઓનલાઈન પણ આ પ્રક્રિયા કરી શકો છો. નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો:

પોર્ટલની મુલાકાત લો: સરકારની સત્તાવાર વેબસાઈટ https://beneficiary.nha.gov.in/ ઓપન કરો.

લોગિન અને સર્ચ: તમારો મોબાઈલ નંબર નાખી લોગિન કરો અને તમારા PMJAY ID અથવા આધાર નંબર દ્વારા સર્ચ કરો.

એક્શન બટન: લિસ્ટમાં તમારા નામની બાજુમાં 'Expired' (એક્સપાયર્ડ) લખેલું દેખાશે. તેની બાજુમાં આપેલા એક્શન બટન પર ક્લિક કરો.

E-KYC: હવે આધાર કાર્ડ આધારિત E-KYC (ઓનલાઈન વેરિફિકેશન) પ્રક્રિયા પૂર્ણ કરો.

આવકનો દાખલો: અહીં તમારે નવો અને માન્ય આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે.

ખાસ નોંધ: કાર્ડ રીન્યુ કરતી વખતે તમારો જૂનો PMJAY આઈડી બદલાશે નહીં, તે જ રહેશે. તમારી વિગતો સબમિટ કર્યા બાદ સરકારી એજન્સી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે અને મંજૂરી મળતા જ કાર્ડ ફરી એક્ટિવ થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Advertisement

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget