શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં મેઘતાંડવ, વધુ 25 લોકોએ ગુમાવ્યા જીવ, મૃત્યુઆંક 35 પર પહોંચ્યો

વરસાદ અને પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાતને રાહત મળવાની આશા નથી, હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે રાજ્યમાં વધુ 25 લોકોના મોત થયા હતા. આ સાથે ત્રણ દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે. વરસાદ અને પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાતને રાહત મળવાની આશા નથી, હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં વધુ 25 લોકોએ વરસાદના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે સોમવારથી ત્રણ દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે, જ્યારે બુધવારે સતત ચોથા દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડતાં લગભગ 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), આર્મી, ઈન્ડિયન એર ફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદથી રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરી રાજ્યમાં પૂરની સ્થિતિની જાણકારી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી હતી.

બુધવારે, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદર જેવા સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 50 મીમીથી 200 મીમી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં 185 મીમી વરસાદ નોંધાયો હતો જે રાજ્યમાં સૌથી વધુ છે.

વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પૂરની સ્થિતિને જોતા વડોદરામાં એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાની ત્રણ કોલમોને તૈનાત કરવામાં આવી છે.  પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.  એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે, આર્મી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા હતા, જેમાં લગભગ 17,800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને અન્ય 2,000 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ ચોમાસામાં અત્યાર સુધીમાં 41,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 3,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે મંગળવારે 15 લોકોના મોત થયા હતા, જ્યારે બુધવારે ચાર મૃત્યુ નોંધાયા હતા. જિલ્લા કલેક્ટરે મોરબીમાં ચાર અને રાજકોટ જિલ્લામાં બે મૃત્યુ નોંધ્યા છે.મંગળવારે દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં આણંદ જિલ્લાના ખડોધી ગામમાં ત્રણ, મહીસાગરના હરિપુરા ગામમાં બે, અમદાવાદના ઢીંગરા ગામ અને સાણંદમાં બે તેમજ ખેડાના ચિત્રાસર ગામમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

જ્યારે ભરૂચના પીલુદરા ગામ, જૂનાગઢના માંગરોળ ગામ, પંચમહાલના હાલોલ તેમજ અમદાવાદના ધોળકા તાલુકા અને અમદાવાદ શહેરના મણિનગરમાં એક-એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બે વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Jaya Bachchan: કેમ વારંવાર ગુસ્સે થાય છે જયા બચ્ચન? સામે આવ્યું ચોંકાવનારુ કારણ
Jaya Bachchan: કેમ વારંવાર ગુસ્સે થાય છે જયા બચ્ચન? સામે આવ્યું ચોંકાવનારુ કારણ
Embed widget