શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદને લઈ  હવામાન વિભાગે શું કરી આગાહી ? 

ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.  

ગાંધીનગર: ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.  જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

24 જુલાઈ: સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

25 જુલાઈ: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

26 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

ગુજરાતમાં સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે.

મહારાષ્ટ્રમાં વરસાદ

મહારાષ્ટ્રમાં વરસેલા મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સાથે જ અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર સહિતના પાંચ જિલ્લામાં મેઘતાંડવથી હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુશળધાર વરસાદથી મહારાષ્ટ્રની લગભગ તમામ નદીઓ ગાંડીતૂર બની છે.

મોટાભાગના ડેમ છલકાય ગયા છે. પહાડો પરથી તોફાની ધોધના પાણી પણ ચારેય તરફ ધમસમી રહ્યાં છે. ખાસ કરીને રત્નાગીરી જિલ્લાના તાલુકા ચીપલુણમાં આભ ફાટ્યું છે. મુશળધાર વરસાદથી ચીપલુણમાં પાંચ હજારથી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં ભારે વરસાદથી ભેખડો ધસી પડવાને કારણે અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે. રાયગડ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નિધિ ચૌધરીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાયગડમાં ભૂસ્ખલનને કારણે 36 લોકોના મોત થયા છે, જેમાંથી તલાઇમાં 32 અને સખર સુતરવાડીમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે હજુ 30 લોકો ફસાયેલા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ
Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ
Bomb At BJP Office: બીજેપી ઓફીસ બહાર બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતા હડકંપ, પોલીસ ઘટના સ્થળે
Bomb At BJP Office: બીજેપી ઓફીસ બહાર બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતા હડકંપ, પોલીસ ઘટના સ્થળે
પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર
પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેડૂતોનું ક્યારે ઓછું થશે દર્દ ?Hu to Bolish | હું તો બોલીશ | કરંટ લાગવાનું નક્કીRajkot: ખીરસરા ગામે ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવીBhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ
Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ
Bomb At BJP Office: બીજેપી ઓફીસ બહાર બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતા હડકંપ, પોલીસ ઘટના સ્થળે
Bomb At BJP Office: બીજેપી ઓફીસ બહાર બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતા હડકંપ, પોલીસ ઘટના સ્થળે
પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર
પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
Vadodara: લોનના હપ્તા ન ભરી શકતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન
Vadodara: લોનના હપ્તા ન ભરી શકતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન
Best Smartwatches: 3 હજારના બજેટમાં ગિફ્ટ કરવા માટે બેસ્ટ છે આ સ્માર્ટવોચ
Best Smartwatches: 3 હજારના બજેટમાં ગિફ્ટ કરવા માટે બેસ્ટ છે આ સ્માર્ટવોચ
MHA Meeting: કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકવાદનો સફાયો,અમિત શાહ અને અજીત ડોભાલે બનાવ્યો માસ્ટર પ્લાન
MHA Meeting: કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકવાદનો સફાયો,અમિત શાહ અને અજીત ડોભાલે બનાવ્યો માસ્ટર પ્લાન
lifestyle: એક દિવસમાં કેટલા કલાક કરવો જોઈએ મોબાઈલનો ઉપયોગ?
lifestyle: એક દિવસમાં કેટલા કલાક કરવો જોઈએ મોબાઈલનો ઉપયોગ?
Embed widget