શોધખોળ કરો

લોકડાઉન દરમિયાન લોન પર વ્યાજ માફી મુદ્દે રિઝર્વ બેંકે બેંકોને આપ્યો આદેશ, જાણો ગ્રાહકોને શું થશે ફાયદો

શક્તિકાંત દાસે જણાવ્યું કે, કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેમ છતા અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. જો કે, જે રીતે હાલ કેસ વધ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે પરંતુ ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે.

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની 3 દિવસીય બેઠક બુધવારે પૂરી થઈ હતી. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) વ્યાજના દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ કારણે લોનના ઈએમઆઈ (EMI) પર વધુ રાહત નહીં મળે. રિઝર્વ બેંકે રેપો રેટને 4 ટકા જાળવી રાખ્યો છે.

આરબીઆઈએ શું આપ્યો આદેશ

આ સિવાય  ગત વર્ષે કોરોના લોકડાઉન (Lockdown)  દરમિયાન લોન મોરેટોરિયમનો (Loan Moratorium) લાભ લીધા બાદ વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો સારા સમાચારછે. રિઝર્વ બેંકે બુધવારે બેંકો અને એનબીએફસી (NBFC) કંપનીઓને ઋણદારો પાસેથી ગત વર્ષે છ મહિનાના સમયગાળા માટે લેવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજને પરત કરવા નિર્દેશક મંડળને તાત્કાલિક મંજૂરી આપી લાગુ કરવા આદેશ કર્યો હતો. RBIના આ ફેંસલાથી લોન લેનારા અને લોકડાઉન દરમિયાન ઈએમઆઈ નહીં ભરનારા ગ્રાહકોને ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં ચૂકવવું પડે. રિઝર્વ બેંકે ગત મહિને તેના એક ફેંસલામાં આ સમયગાળા દરમિયાન ચક્રવૃદ્ધિ વ્યાજ લેવા પર રોક લગાવી હતી. રિઝર્વ બેંકે ગત વર્ષે કોવિડ-19 મહામારી દરમિયાન ઋણદારોને રાહત પેકેજ આપતાં તેમણે ચૂકવવાના થતાં ઈએમઆઈ (EMI) પર રોક લગાવી હતી. ઋણદારોને લોન નહીં ચૂકવવા માટેની મુદત પહેલા 1 માર્ચથી લઈને 31 મે સુધી બાદમાં વધુ ત્રણ મહિના લંબાવીને 31 ઓગસ્ટ કરી દીધી હતી.

 કોરોનાને લઈ આરબીઆઈ ગવર્નરે શું કહ્યું...

શક્તિકાંત દાસે જણાવ્યું કે, કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેમ છતા અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. જો કે, જે રીતે હાલ કેસ વધ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે પરંતુ ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી 5 ટકાની ઉંચાઈ પર રહી તેમ છતા તે રિઝર્વ બેંકની સુવિધાજનક સીમાની અંદર જ છે. રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા જાળવી રાખ્યો છે. રેપો રેટ એટલે એવો દર જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો રેટ એટલે રિઝર્વ બેંક પોતાના પાસે પૈસા જમા કરાવવા પર બેંકોને જે વ્યાજ આપે તે. 

રિકવરીમાં અનિશ્ચિતતા

દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં આર્થિક સ્થિતિ સુધરી રહી છે. જો કે કેસો જે ઝડપથી વધી રહ્યા છે તેને કારણે રિકવરીમાં  અનિશ્ચિતતા  ઊભી થઈ છે, એમ  આરબીઆઈના  ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. દેશ કોઈપણ પડકારોનો સામનો કરવા સજ્જ છે.  કોરોના વિરુદ્ધની રસીને કારણે અર્થતંત્રમાં ગતિ સાથે વર્તમાન નાણાં વર્ષમાં મજબૂતાઈની શકયતામાં વધારો થયો હતો પરંતુ કોરોનાએ ઉથલો મારતા અને કેસમાં થઈ રહેલા ઝડપી વધારાને કારણે વ્યાપક અનિશ્ચિતતા ઊભી થયાનું દાસે જણાવ્યું હતું.

Coronavirus: ભારતમાં કોરોનાનો રાફડો ફાટતાં આ જાણીતા દેશે ભારતથી આવતાં લોકો પર લગાવી દીધો પ્રતિબંધ, જાણો વિગતે

રૂપાણીના દિકરાના લગ્ન હોવાથી રાજ્યમાં નથી લાદવામાં આવ્યું લોકડાઉન ? જાણો મુખ્યમંત્રીએ શું કરી સ્પષ્ટતા

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Advertisement

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
Embed widget