શોધખોળ કરો

દિવાળી ટાણે જ સૌરાષ્ટ્રની આ પાલિકામાં કકળાટ, ભાજપના 5 કાઉન્સિલરોએ ધરી દીધા રાજીનામા

માણાવદર ભાજપમાં દિવાળી ટાણે જ ભડકો થયો છે. 5 નગર સેવકોએ રાજીનામાં ધરી દીધા છે. ગ્રાન્ટની બાબતમાં યોગ્ય માહિતી અપાતી ન હોવાથી રાજીનામાં ધરી દીધા છે.

જૂનાગઢ : માણાવદર ભાજપમાં દિવાળી ટાણે જ ભડકો થયો છે. 5 નગર સેવકોએ રાજીનામાં ધરી દીધા છે. ગ્રાન્ટની બાબતમાં યોગ્ય માહિતી અપાતી ન હોવાથી રાજીનામાં ધરી દીધા છે. સોશિયલ મીડિયા પર રાજીનામાની કોપી વાયરલ થઈ છે. 

જેન્તીલાલ ગોવિંદભાઈ કાલરીયા (વોર્ડ નંબર-1), સરોજબેન રાજેન્દ્રભાઈ કણસાગરા (વોર્ડ નંબર-2), પ્રશાંત મગનભાઈ વૈશ્નાણી (વોર્ડ નંબર-3), ભાવનાબેન દિનેશભાઈ કાલરીયા (વોર્ડ નંબર-4), કાજલબેન સંદીપભાઈ મારડીયા (વોર્ડ નંબર 5)એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. 


દિવાળી ટાણે જ સૌરાષ્ટ્રની આ પાલિકામાં કકળાટ, ભાજપના 5 કાઉન્સિલરોએ ધરી દીધા રાજીનામા


દિવાળી ટાણે જ સૌરાષ્ટ્રની આ પાલિકામાં કકળાટ, ભાજપના 5 કાઉન્સિલરોએ ધરી દીધા રાજીનામા

અમદાવાદના નાગરિકોને સરકારે આપી દિવાળી ભેટ, વધુ એક ફ્લાય ઓવર મુકાયો ખુલ્લો

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને દીપાવલીની વધુ એક ભેટ મળી છે. સરખેજ -ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈ વેના 44 કી.મી લાંબા માર્ગ  પર વધુ એક ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરાયું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ૧૭૦ કરોડના ખર્ચે  નવનિર્મિત  2.36 કી. મીટર લાંબો આ  એલિવેટેડ કોરિડોર વાહન વ્યવહારમાં  વધુ સુવિધાયુક્ત બનશે.

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને ઝડપી અને સરળ પરીવહનની સુવિધા ઉપલબ્ધ થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની  ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.  આ અવસરે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર, અમદાવાદ શહેર અને ગાંધીનગર ના ધારાસભ્યો, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદો , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ ભાઈ બારોટ, અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ અને માર્ગ મકાન સચિવ તેમજ વિભાગ ના અધિકારીઓ અને નાગરિકો  ઉપસ્થિત રહ્યા હતા.

રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36  કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે.

થલતેજ અન્ડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી ૧.૪૮ કી.મી. લાંબો ફ્લાયઓવર તા.   ૨૭/૦૬/૨૦૨૧થી કાર્યરત છે, હવે તૈયાર થયેલા ૨.૩૬૦ કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી બોક્સ સુધીના એલિવેટેડ કોરીડોરને પરીણામે સળંગ ૪.૧૮ કીમી લંબાઇનો ફ્લાયઓવર કાર્યરત થશે.

આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા  મળશે. રખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૧૪૭ના ૪૪ કીમી લાંબા રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી રૂ. ૯૧૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું  રાજ્ય સરકારનું આયોજન છે. જે અંતર્ગત નિર્માણ કરવાના થતા 13 ફ્લાયઓવરમાંથી 7 ફ્લાય ઓવર કાર્યરત થઇ ચુક્યા છે અને આઠમાં ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થયું છે અને બાકીના 5 ફ્લાય ઓવર નિર્માણાધિન છે. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Paresh Goswami Prediction: રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતો થઈ જજો સાવધાન!
Paresh Goswami Prediction: રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતો થઈ જજો સાવધાન!
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે વિધાનસભામાં થશે ચર્ચા, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે વિધાનસભામાં થશે ચર્ચા, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Embed widget