શોધખોળ કરો

દિવાળી ટાણે જ સૌરાષ્ટ્રની આ પાલિકામાં કકળાટ, ભાજપના 5 કાઉન્સિલરોએ ધરી દીધા રાજીનામા

માણાવદર ભાજપમાં દિવાળી ટાણે જ ભડકો થયો છે. 5 નગર સેવકોએ રાજીનામાં ધરી દીધા છે. ગ્રાન્ટની બાબતમાં યોગ્ય માહિતી અપાતી ન હોવાથી રાજીનામાં ધરી દીધા છે.

જૂનાગઢ : માણાવદર ભાજપમાં દિવાળી ટાણે જ ભડકો થયો છે. 5 નગર સેવકોએ રાજીનામાં ધરી દીધા છે. ગ્રાન્ટની બાબતમાં યોગ્ય માહિતી અપાતી ન હોવાથી રાજીનામાં ધરી દીધા છે. સોશિયલ મીડિયા પર રાજીનામાની કોપી વાયરલ થઈ છે. 

જેન્તીલાલ ગોવિંદભાઈ કાલરીયા (વોર્ડ નંબર-1), સરોજબેન રાજેન્દ્રભાઈ કણસાગરા (વોર્ડ નંબર-2), પ્રશાંત મગનભાઈ વૈશ્નાણી (વોર્ડ નંબર-3), ભાવનાબેન દિનેશભાઈ કાલરીયા (વોર્ડ નંબર-4), કાજલબેન સંદીપભાઈ મારડીયા (વોર્ડ નંબર 5)એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. 


દિવાળી ટાણે જ સૌરાષ્ટ્રની આ પાલિકામાં કકળાટ, ભાજપના 5 કાઉન્સિલરોએ ધરી દીધા રાજીનામા


દિવાળી ટાણે જ સૌરાષ્ટ્રની આ પાલિકામાં કકળાટ, ભાજપના 5 કાઉન્સિલરોએ ધરી દીધા રાજીનામા

અમદાવાદના નાગરિકોને સરકારે આપી દિવાળી ભેટ, વધુ એક ફ્લાય ઓવર મુકાયો ખુલ્લો

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને દીપાવલીની વધુ એક ભેટ મળી છે. સરખેજ -ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈ વેના 44 કી.મી લાંબા માર્ગ  પર વધુ એક ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરાયું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ૧૭૦ કરોડના ખર્ચે  નવનિર્મિત  2.36 કી. મીટર લાંબો આ  એલિવેટેડ કોરિડોર વાહન વ્યવહારમાં  વધુ સુવિધાયુક્ત બનશે.

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને ઝડપી અને સરળ પરીવહનની સુવિધા ઉપલબ્ધ થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની  ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.  આ અવસરે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર, અમદાવાદ શહેર અને ગાંધીનગર ના ધારાસભ્યો, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદો , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ ભાઈ બારોટ, અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ અને માર્ગ મકાન સચિવ તેમજ વિભાગ ના અધિકારીઓ અને નાગરિકો  ઉપસ્થિત રહ્યા હતા.

રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36  કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે.

થલતેજ અન્ડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી ૧.૪૮ કી.મી. લાંબો ફ્લાયઓવર તા.   ૨૭/૦૬/૨૦૨૧થી કાર્યરત છે, હવે તૈયાર થયેલા ૨.૩૬૦ કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી બોક્સ સુધીના એલિવેટેડ કોરીડોરને પરીણામે સળંગ ૪.૧૮ કીમી લંબાઇનો ફ્લાયઓવર કાર્યરત થશે.

આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા  મળશે. રખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૧૪૭ના ૪૪ કીમી લાંબા રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી રૂ. ૯૧૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું  રાજ્ય સરકારનું આયોજન છે. જે અંતર્ગત નિર્માણ કરવાના થતા 13 ફ્લાયઓવરમાંથી 7 ફ્લાય ઓવર કાર્યરત થઇ ચુક્યા છે અને આઠમાં ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થયું છે અને બાકીના 5 ફ્લાય ઓવર નિર્માણાધિન છે. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget