શોધખોળ કરો

સગીર વયની દીકરીઓના ખોટા દસ્તાવેજના આધારે લગ્ન કરાવવાનું ષડયંત્ર, જાણો વિગતો

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી સગીર વયની દીકરીઓને ખોટા દસ્તાવેજના આધારે લગ્ન કરાવવાનું ષડયંત્ર હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે.

રાજકોટ:  સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી સગીર વયની દીકરીઓને ખોટા દસ્તાવેજના આધારે લગ્ન કરાવવાનું ષડયંત્ર હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે.  અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓની સગીરાઓના ખોટા દસ્તાવેજ બનાવીને કાવતરાને અંજામ અપાતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટમાં થયેલી હેબિયર્સ કોપર્સ પિટિશનમાં આ રજૂઆત કરવામાં આવી છે.

એક સગીરાના પિતાએ આખા કૌભાંડની વિગત સાથે કોર્ટમાં પિટિશન કરી હતી. સગીર વયની દીકરીઓને રો- રો ફેરી મારફતે સુરત લઈ જવાતી હતી.  જ્યાં ખોટા દસ્તાવેજો ઉભા કરીને લગ્ન કરાવી આપતા હતાં.  આ કૌભાંડમાં ચીફ ઓફિસર, તલાટી, નોટરી અને અન્ય અધિકારીઓની પણ સાંઠગાંઠ હોવાનો આરોપ લાગ્યો છે.  હાઈકોર્ટે આ કેસમાં તળાજાના PSI, ચીફ ઓફિસર સહિતના સંલગ્ન અધિકારીઓને નોટિસ ઈશ્યુ કરી છે.  જવાબદારોને 28 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે. 

 

વેરાવળના નામાંકિત ડોક્ટરની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર

વેરાવળના નામાંકિત ડો. અતુલ ચગની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના તબીબ ડો.જલ્પાન રુપાપરાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.  પોસ્ટમાં અતુલ ચલ રુપિયાને લઈને ચિંતામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજથી 8 થી 10 મહિના પહેલા અતુલ ચગ સાથે વાત થઈ હતી તેમ ડોક્ટર જલ્પાને લખ્યું છે. ડોક્ટર રુપાપરાએ દાવો કર્યો છે કે, ડોક્ટર અતુલ ચગને નારણ ચુડાસમા પાસેથી 2થી 2.5 કરોડ રુપિયા લેવાના હતા. નારણ ચૂડાસમા અને રાજેશ ચૂડાસમા રુપિયા આપતા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. રાજકીય પીઠબળ હોવાથી બંને જવાબ આપતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન

 ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે.  તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે.  ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે,  ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.

શું કહ્યું પરિમલ નથવાણીએ?

પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું.  ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
ચૈત્રમાં અષાઢી માહોલથી ખેડૂતો ચિંતિતઃ બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ સહિતના પાકોને નુકસાનની ભીતિ
ચૈત્રમાં અષાઢી માહોલથી ખેડૂતો ચિંતિતઃ બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ સહિતના પાકોને નુકસાનની ભીતિ

વિડિઓઝ

Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ
Gujarat Local Body election 2026: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા
US Israel Iran War Update: ઈરાનના સૌથી મોટા બ્રિજ પર અમેરિકાનો હુમલો, અત્યાર સુધી 8 લોકોના મોત
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં આગાહી પ્રમાણે પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
1 કલાક ચલાવવા પર કેટલી વીજળી વાપરે છે 1000 વાળો ઈલેક્ટ્રીક ચૂલો? જાણીલો તમામ ગણતરી
1 કલાક ચલાવવા પર કેટલી વીજળી વાપરે છે 1000 વાળો ઈલેક્ટ્રીક ચૂલો? જાણીલો તમામ ગણતરી
Embed widget