શોધખોળ કરો

સરકારે RTE નિયમમાં કર્યો મહત્ત્વનો સુધારો, જાણો વિદ્યાર્થીઓને શું થશે અસર

આ ફેરફાર અંતર્ગત દરેક શૈક્ષણિક વર્ષને અંતે ધોરણ–૧ અને ધોરણ-૮માં વર્ષાત(વાર્ષિક) પરીક્ષા લેવામાં આવશે.

અમદાવાદઃ પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા કમર કસી છે. ધોરણ 5 અને ધોરણ 8 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને વધુ એક તક અપાશે. નાપાસ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાના બે મહિનાના સમયગાળામાં વધારાનું શિક્ષણ મેળવીને ફરી પરીક્ષા આપી શકશે. અને તેમા પણ જો નાપાસ થાય તો તેમને નાપાસ ગણવામાં આવશે. RTE એકટ અંતર્ગત બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના નિયમ-૨૦૦૯ની કલમ–૧૪માં ભારત સરકારે ૧૦મી જાન્યુઆરી–૨૦૧૮ના રોજ મહત્વનો સુધારો કરતાં રાજય સરકારે પણ તા.૨૧/૯/ર૦૧ન્ના રોજ જાહેરનામુ બહાર પાડીને બાળકોને મફત શિક્ષણનો અધિકાર નિયમો-ર૦૧રના નિયમ–૨૪માં મહત્વનો સુધારો કર્યો છે. આ ફેરફાર અંતર્ગત દરેક શૈક્ષણિક વર્ષને અંતે ધોરણ–૧ અને ધોરણ-૮માં વર્ષાત(વાર્ષિક) પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થી જો નાપાસ થાય તો વાર્ષિક પરીક્ષા પછીના બે માસના સમયગાળા દરમ્યાન વધારાનું શિક્ષણ પુરૂ પાડી પરીક્ષાની વધુ એક તક આપવામાં આવશે. તેમાં પણ જો નાપાસ થાય તો તેને નાપાસ કરવામાં આવશે. આ પરીક્ષાઓ જી.સી.ઈ.આર.ટી. દ્વારા લેવામાં આવશે. આ જોગવાઈનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી કરાશે. આ પરીક્ષાઓમાં નાપાસ થયેલ બાળક અન્ય શાળામાં પ્રવેશ મેળવે તેવા સંજોગોમાં ઉમર આધારિત પ્રવેશને બદલે તે બાળક જે ધોરણમાં નાપાસ થયેલ હોય તે જ ધોરણમાં પુનઃપ્રવેશ આપવાનો રહેશે. પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવેલા કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પુરું થતા સુધીમાં આ સિવાયના કોઈપણ કારણસર કોઈ ધોરણમાં રોકી શકાશે નહીં. આ ઉપરાંત કોઈ બાળકનું પ્રાથમિક શિક્ષણ પુરું ન થાય ત્યાં સુધી શાળામાંથી કાઢી શકાશે નહીં. 21મી જુલાઈએ પ્રોફેસરો, શિક્ષકો અને નિવૃત શિક્ષક સહિત તમામે મુખ્યપ્રધાન સાથે બેઠક કરી હતી. અને ત્યારબાદ 10મી ઓગસ્ટે ફરી બેઠક થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
પાટણના હાજીપુરમાં બબાલ: વરઘોડો કાઢ્યો તો જાનથી મારી નાખીશું! વરરાજાને ઘોડી પરથી પછાડી ઢોર માર માર્યો
પાટણના હાજીપુરમાં બબાલ: વરઘોડો કાઢ્યો તો જાનથી મારી નાખીશું! વરરાજાને ઘોડી પરથી પછાડી ઢોર માર માર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
Embed widget